ગાંધીધામ, તા. 7 : વાગડ પંથકના મુખ્ય મથક રાપરથી
17 કિ.મી. દૂર આવેલા એક ગામમાં
સાવકા પુત્રએ પોતાની ઓરમાન માતા ઉપર બળાત્કાર ગુજારતાં ભારે ચકચાર પ્રસરી હતી. ગાગોદર
પોલીસ મથકની હદમાં આવતા આ ગામમાં ગત તા. 3/9ના રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર એક મહિલાના
અગાઉ લગ્ન થયા હતા જેમાં સામાજિક રીતે છૂટાછેડા બાદ આ મહિલાએ હાલના પતિ સાથે લગ્ન કર્યા
હતા. હાલના આ પતિના પણ અગાઉ લગ્ન થયેલા છે જે થકી તેને ત્રણ સંતાન પ્રાપ્ત થયા હતા.
આ ત્રણ સંતાન પૈકી સૌથી મોટા દીકરાએ આ જધન્ય કૃત્ય આચર્યું હતું. બનાવની રાત્રે આ શખ્સ
પોતાની ઓરમાન માતા પાસે આવ્યો હતો. જમવાનું માંગી બાદમાં ત્યાં જ સૂઈ રહેવાનું આરોપીએ
જણાવ્યું હતું અને બાદમાં આ સાવકા પુત્રએ ઓરમાન માતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ
બનાવથી ડરી ગયેલી મહિલાએ બીજા દિવસે પોતાના બે સંતાન સાથે પિયર જઈ અને પાટણના રાધનપુર
પોલીસ મથકે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.