ભુજ, તા. 9 : ઘરેલુ હિંસા સામે ત્રીઓમાં
રક્ષણ અધિનિયમ અંગેની જાગૃતિ આવે એ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ
છે અને એ માટે વિવિધ જાગૃતિ સેમિનાર પણ યોજવામાં આવે છે. આ અનવ્યે ઓધવબાગ - 3 માધાપર જૂનાવાસ ખાતે મહિલા અને બાળ અધિકારીની
કચેરી દ્વારા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઓધવબાગ-2 અને 3ના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દહેજ પ્રતિબંધક
સહરક્ષણ અધિકારી ભરતભાઈ મકવાણા દ્વારા કાયદા અંતર્ગત કોણ ફરિયાદ કરી શકે, ક્યાં ફરિયાદ કરી શકાય, કોર્ટ તરફથી શું દાદ મળવા પાત્ર છે
વગેરે અંગે માહિતી અપાઈ હતી. શી ટીમના એએસઆઇ શીતલબેન દ્વારા શી ટીમની કામગીરી તેમજ
મહિલાઓને સક્ષમ થવા તેમજ હિંસા સહન ન કરવા અંગે સમજ અપાઈ હતી. જિલ્લા મહિલા અને બાળ
અધિકારી અવનીબેન રાવલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકીય અને કાયદાકીય માહિતી
અપાઈ હતી. 181 અભયમ્ કાઉન્સેલર
દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મુશ્કેલ
પરિસ્થિતિમાં મુકાયેલી કોઇ પણ મહિલા ગમે ત્યારે 181 નંબર ડાયલ કરને સેવા મેળવી
શકે છે. આ સેવા નિ:શુલ્ક અને 24ડ્ઢ7 ચાલતી સેવા છે. સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક
ભાવનાબેન દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને સેન્ટર પર આપવામાં આવતી મફત સેવા જેવી કે આશ્રય, કાનૂની સહાય, પોલીસ સહાય,
કાઉન્સાલિંગ વિશે વિગતે માહિતી આપી હતી. પોલીસ સ્ટેશન બેઇઝના સપોર્ટ
સેન્ટરના કાઉન્સેલર અર્ચનાબેન ભગોરા દ્વારા
મહિલાઓને ડર રાખ્યા વિના આગળ આવવું જોઇએ તથા જ્યારે પણ જરૂર પડ્યે ત્યારે પોલીસ અને
આ સેન્ટર હંમેશાં તેમના પડખે છે, એવું જણાવ્યું હતું. ઓધવબાગ
મહિલા મંડળના પ્રમુખ લક્ષ્મીબેન પટેલ, ઉપપ્રમુખ તારાબેન ગજ્જર
અને ભુજ તાલુકા પંચાયતના સદસ્ય તુસારીબેન ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પૂજાબેન પરમાર
દ્વારા કરવામાં આવ્યુ હતું.