• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

ભારત-પાકની નૌસેનાઓનો એક જ સમયે યુદ્ધાભ્યાસ !

ભુજ, તા. 10 : ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં એક મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. આ યુદ્ધાભ્યાસ 11 અને 12 ઓગસ્ટના થવાની શક્યતા છે. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાની નૌકાદળે પણ આ જ સમયગાળા દરમિયાન પોતાના  જળસીમામાં અભ્યાસ માટે વિમાનદળોને નોટિસ જારી કરી છે. બંને હરીફ દેશે એક જ સમયે કવાયત જારી કરતાં સંઘર્ષના ભણકારા વાગવા માંડયા છે. ભારતીય નૌકાદળનો આ યુદ્ધાભ્યાસ તાજેતરમાં થયેલાં ઓપરેશન સિંદૂર બાદનો પહેલું મોટું શક્તિ પ્રદર્શન હશે. 7 મેના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કર્યો હતો, જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા. 

Panchang

dd