નખત્રાણા, તા. 6 : ભુજ તાલુકાનાં બન્ની વિસ્તારના
જતાવરીમાં પાણી પુરવઠા દ્વારા સરાડા, ભગડિયા, શેરવા ગામો માટે પાણીનો સમ્પ બનાવાયો છે,
પણ તેમાંથી કરાતું પાણી વિતરણ પીવાલાયક ન હોવાનું ગ્રામજનો કરી રહ્યા
છે. દૂષિત પાણી પીવાનાં કારણે બીમારીઓ ફેલાય તેવી ભીતિ વ્યકત કરાઇ છે. વહીવટી તંત્ર
અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વેળાસર આ સમસ્યાનું નિવારણ લાવે તેવી માંગ રસુલ સોઢા જતે
કરી છે.