ગાંધીધામ, તા. 23 : મેઘપર બોરીચીના સોનલનગર વિસ્તારમાં
રાજેશ નારણ માલી (ઉ.વ. 36) નામના યુવાને
ગળેફાંસો ખાઇ પોતાનાં જીવનનો અંત આણ્યો હતો. મેઘપર બોરીચીના સોનલનગર વિસ્તારમાં મકાન
નંબર 378-બીમાં રહેનાર રાજેશ માલી નામનો
યુવાન ગત તા. 21-7ના રાત્રે પોતાના ઘરે હતો.
દરમ્યાન તેણે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનાં જીવનનો અંત આણ્યો હતો. પોલીસે
વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવાનની
પત્નીએ એસિડ પી લેતાં તેમને સારવાર માટે લઇ જવાયા હતા. બાદમાં યુવાને ઘરે આવીને અંતિમ
પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.