• બુધવાર, 21 મે, 2025

માઓવાદીઓની શાંતિ દરખાસ્તનો ભરોસો નહીં

છેલ્લા થોડા સમયથી માઓવાદીઓની સામે હાથ ધરાઈ રહેલાં સચોટ ઓપરેશનની અસરો વર્તાવા લાગી છે. વર્ષોથી દેશમાં લોહિયાળ સંઘર્ષ ચલાવી રહેલા માઓવાદીઓ હવે તેમની પોતાની સલામતી માટે ચિંતિત બની રહ્યા છે. હવે માઓવાદીઓ સરકારની સાથે શાંતિમંત્રણા ઈચ્છી રહ્યા છે. તેમણે જો કે, શાંતિની વાતની સાથે પોતાની શરતો પણ આગળ ધરીને પોતાના ઈરાદા હજી હકારાત્મક ન હોવાની છાપ ઊભી કરી છે. માઓવાદીઓની ઉચ્ચ સ્તરીય સમિતિના એક પ્રવક્તાનાં નામે બહાર પડાયેલી અખબારી યાદીમાં સરકારને શાંતિમંત્રણા માટે અનુરોધ કર્યો છે. જો કે, આ યાદીમાં શત્રો છોડવાનો કોઈ ફોડ પડાયો નથી, ઊલટું સામી શરતો મુકાઈ છે.  માઓવાદીઓના આ પ્રવક્તાએ તેની યાદીમાં શાંતિ માટે વાતાવરણ તૈયાર કરવા સરકારે સલામતી દળોની કાર્યવાહીને થંભાવવાની અને દળોની નવી છાવણીઓ ખડી ન કરવાની શરત મૂકી છે. જો કે, સરકાર વતીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વાત સ્પષ્ટ છે કે, માઓવાદીઓએ શત્રો છોડવા જોઈએ, પણ શાંતિ ઈચ્છતા માઓવાદીઓની આ દરખાસ્ત પોતાની સલામતીની માટે હોવાનું જણાઈ  રહ્યંy છે. તેઓ શત્રો છોડવાની બાબતમાં મૌન છે. જો કે, તેમની નેતાગીરીએ માઓવાદીઓને સલામતી દળોના સકંજામાં આવી ન જવાય એવો ખ્યાલ રાખવાની  સૂચના આપી  છે. આમ તો ભૂતકાળમાં માઓવાદી નેતાગીરીએ આવી દરખાસ્તો કરી છે અને સરકારે તેના પર કામ પણ કર્યું છે. જો કે, લગભગ દરેક પ્રયાસમાં એવી હકીકતો સામે આવી  છે કે, શાંતિના કહેવાતા ગાળાનો માઓવાદીઓએ પોતાને મજબૂત કરવામાં ઉપયોગ કર્યો છે. 2002માં આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની સાથે શાંતિમંત્રણાની દરખાસ્ત કરી  હતી, પણ તે સમયમાં નકસલવાદીઓએ શત્રો છોડવાની વાત  સ્વીકારી ન હતી, એટલે દરખાસ્ત વિફળ રહી  હતી. જો કે, આ વાટાઘાટો દરમ્યાન નકસલવાદીઓએ તેમના બે રાજકીય પક્ષોનો વિલય કરીને રાજકીય મજબૂતી મેળવી હતી. જો કે, 2011 બાદથી માઓવાદીઓનો આધાર સતત નબળો પડતો રહ્યોઁ છે. તેમનું લશ્કરી સંખ્યાબળ સતત ઘટી રહ્યંy છે. સામા પક્ષે સલામતી દળોએ તેમની કાર્યવાહીને વધુ ઘનિષ્ઠ અને સચોટ બનાવી છે. સાથોસાથ અંતરિયાળ વિસ્તારોમાં છાવણીઓ ખડી કરીને સલામતી દળોએ તેમની હાજરીમાં સતત વધારો કર્યો છે, તાજેતરના સમયમાં વિકાસથી વંચિત માઓવાદી વિસ્તારોમાં હવે નવા માર્ગો બની રહ્યા છે. માબાઈલ ટાવર ખડા થઈ રહ્યા છે. બેંકો અને પોસ્ટ ઓફિસો ખૂલી  રહી  છે. લોકોને હવે સરકારમાં વિશ્વાસ દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત માઓવાદમુક્ત પંચાયતોને વિકાસકાર્યો માટે એક કરોડના માતબર  ભંડોળની યોજના સરકારે શરૂ કરી છે. આ બધાને લીધે નકસલવાદ હવે નબળો પડી રહ્યો છે. તેમની શાંતિની દરખાસ્ત આવકાર્ય ગણી શકાય, પણ શત્રો છોડયા વગર સામી શરતો સાથેની તેમની દરખાસ્ત શંકા જગાવે  તેવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd