ગાંધીધામ, તા. 25 : આદિપુરમાં ભાડેથી ઓફિસ ખોલી લોકોને હરિદ્વાર
લઇ જવાનું અને એક દિવસ કથા સાંભળવા માટે પૈસા આપવાનું કહી 200 જેટલા
લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનારા શખ્સ નરેન્દ્રસિંહ દિલીપસિંહ વિહોલ (રહે. મહેસાણા)
સામે ગુનો નોંધાયા બાદ પોલીસે આ શખ્સને પકડી પાડયો હતો.