આવતા
વર્ષે રમાનારા વિશ્વકપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા જોવા મળશે ? આ પ્રશ્ન ચર્ચાની એરણે છે. હકીકતમાં કોહલીની ફિટનેસ અને ફોર્મ ઉમદા છે,
પણ રોહિતની ફિટનેસ મુદ્દે ચિંતા છે. તાજેતરમાં IPL માં તેની ફિટનેસ શંકાના દાયરામાં રહી, વળી તેની
આક્રમક શૈલીએ ધીમી પડી છે. પ્રશ્ન એ છે કે, 50 ઓવરની મેચમાં માત્ર
બેટિંગ જ નથી હોતી. મેદાન પર પૂરી એકાગ્રતા અને સ્ફૂર્તિ સાથે હાજરી આપવી પડે છે.
રોહિત આ બધું કરી શકશે ? પ્રશ્નનો જવાબ ભવિષ્યમાં
સમાયેલો છે.