• મંગળવાર, 24 જૂન, 2025

રોહિત શર્માની ઇંસ્ટાગ્રામ સ્ટોરીથી વન-ડે સંન્યાસની હલચલ

નવી દિલ્હી, તા. 23: ટીમ ઇન્ડિયાનો પૂર્વ કપ્તાન અને સ્ટાર બેટર છેલ્લે આઇપીએલ દરમિયાન એકશનમાં જોવા મળ્યો હતો. તે ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકયો છે. રોહિત શર્માએ આજે એક ઇંસ્ટાગ્રામ સ્ટોરી ચાહકો માટે શેર કરી હતી. આથી શરૂઆતમાં લોકોને થયું કે રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ જાહેર કર્યો છે. રોહિત શર્માએ તેની સ્ટોરી સાથે 23/06/2007 તારીખ સાથે ભારતીય ટીમની હેલ્મેટનો ફોટો મુકયો હતો. સાથે લખ્યું કે હંમેશા આભારી. અસલમાં 38 વર્ષીય રોહિત શર્માએ 23 જૂન 2007ના આયરલેન્ડ વિરૂધ્ધ પોતાનું વન ડે પદાર્પણ કર્યું હતું. ત્યારે રોહિત 20 વર્ષનો હતો. આજે 23 જૂન હોવાથી રોહિત શર્માએ ઇંસ્ટાગ્રામ પર આ સ્ટોરી શેર કરી હતી. રોહિતની વન ડે કેરિયરને 18 વર્ષ પૂરા થયા છે. તે 2027ના વન ડે વર્લ્ડ કપ સુધી ભારત તરફથી  રમવા માંગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd