• મંગળવાર, 24 જૂન, 2025

ભુજમાં યુવાનને મોતને ઘાટ ઉતારનાર સ્કોર્પિયોચાલક વિરુદ્ધ ફરિયાદ

ભુજ, તા. 23 : ગત તા. 20/6ના રાત્રે રેજેન્ટા હોટેલ સામે સ્કોર્પિયોએ ટુ-વ્હીલરને અડફેટે લેતાં મૂળ ભેરૈયા હાલે ભુજ રહેતા 35 વર્ષીય યુવાન મનોજગિરિ ચમનગિરિ ગુંસાઇનું ગંભીર ઇજાનાં પગલે કરુણ મોત નીપજ્યું હતું, જે અંગે સ્કોર્પિયોચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે હતભાગી મનોજગિરિના ભાઇ કુલદીપગિરિએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 20/6ના રાત્રે 11.15 વાગ્યાના અરસામાં તેમનો ભાઇ મનોજગિરિ તેની એક્સેસ મોપેડ નં. જી.જે. 12-એચ.સી. 9075વાળીથી રેજેન્ટા હોટેલ સામે રોડ ઓળંગીને ગણેશનગર ગોસ્વામી કોલોની તરફ જતો હતો, ત્યારે સ્કોર્પિયો કાર નં. જી.જે. 12-એફ.ઇ. 9270વાળાના ચાલકે કાર પૂરપાટ, બેદરકારીથી ચલાવી તેના ભાઇની એક્સેસને અડફેટે લેતાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાનાં પગલે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે માર્ગ અકસ્માતમાં મોત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd