• સોમવાર, 23 જૂન, 2025

-તો એર ઈન્ડિયાનું લાયસન્સ રદ થશે

નવી દિલ્હી, તા. 22 : નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકની કચેરી (ડીજીસીએ)એ એર ઈન્ડિયાને ગંભીર ચેતવણી આપતાં કહ્યું હતું કે, ઉડાનનાં સંચાલનમાં ગરબડો જારી રહેશે તો લાયસન્સ રદ કરી દેવાશે. ચેતવણીમાં જણાવાયું હતું કે, એર ઈન્ડિયાનું લાયન્સ સ્થગિત કરી દેવાશે અથવા પાછું પણ લઇ  લેવાશે. ભવિષ્યમાં ભૂલનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે, તેવી ચેતવણી સાથે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક વિભાગ દ્વારા વિશેષ ઓડિટ માટે નવી રૂપરેખા તૈયાર કરાઇ હતી.  અગાઉ, ગઇકાલે શનિવારે ડીજીસીએના આદેશનો તરત અમલ કરતાં એર ઈન્ડિયાના ત્રણ અધિકારીને તેમનાં કામ પરથી હટાવી દેવાયાં હતાં. એરલાઇનના વિભાગીય ઉપાધ્યક્ષ ચૂડાસિંહ, ક્રૂ શેડયુલિંગ કરનાર ચીફ મેનેજર પિંકી મિતલ અને ક્રૂ શેડયુલિંગનાં આયોજન સાથે જોડાયેલા પાયલ અરોરા  સામે કાર્યવાહી કરાઇ હતી. ભવિષ્યમાં ક્રૂ શેડયુલિંગ, લાયસન્સ કે ઉડાનના સમય સાથે જોડાયેલા કોઇપણ નિયમનું ઉલ્લંધન થયાનું જણાશે તો કડક કાર્યવાહી કરાશે તેવી ચેતવણી પણ અપાઇ હતી. ઉલ્લેખનીય છે કે, 12મી જૂનના દિવસે અમદાવાદમાં ગોઝારી વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયામાં તાકીદનું ઊતરાણ, ઉડાન રદ થવા જેવી સમસ્યાઓ સામે આવવા માંડી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd