• મંગળવાર, 24 જૂન, 2025

ફિલ્ડરોના કેચ છોડવા પર બુમરાહ : તમાશો ઊભો કરવો નથી

લીડસ, તા. 23 : ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલ પ્રથમ મેચના બીજા અને ત્રીજા દિવસે ભારતીય ફિલ્ડરોઓ ઓછામાં ઓછા છ કેચ પડતા મૂક્યા હતા. એ વિશેના સવાલ પર બુમરાહે જણાવ્યું કે, આ વિશે હું કાંઇ બોલીને તમાશો કરવા માગતો નથી. ખેલાડીઓ પર વધુ દબાણ બનાવવાની મારી કોઇ યોજના નથી. જ્યારે કેચ છૂટે છે ત્યારે હું થોડી પળો માટે નિરાશ થઇ જાવ છું. આ રમતનો એક ભાગ છે. ખેલાડીઓ નવા છે અને ઘણી મહેનત કરે છે. કોઇ જાણીજોઇને આવું કરતા નથી, અનુભવથી શીખશે. જસપ્રિત બુમરાહના ટીકાકારોનું માનવું હતું કે તેની અજીબોગરીબ બોલિંગ એક્શનને લીધે તે 8-10 મહિનામાં ટોચથી તળિયે આવી જશે. પણ  તેનો આત્મવિશ્વાસ હતો કે જેથી તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતાથી 10 વર્ષ પૂરાં કરી ચૂક્યો છે. બુમરાહે ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ફાઇવ વિકેટ હોલ બનાવ્યો છે. તેણે આ ઉપલબ્ધિ 14મી વખત હાંસલ કરી છે. ત્રીજા દિવસની રમત પછીની પત્રકાર પરિષદમાં બુમરાહે પોતાની ઇજા અને એથી ટીમ બહાર થવા વિશેના સવાલ પર કહ્યંy કે, કેટલાક લોકો કહેતા આ બોલર 8-10 મહિના રમશે, પણ મેં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 10 વર્ષ પૂરા કર્યા છે. ઇશ્વરની કૃપા હશે તો આગળ પણ ભારત માટે રમતો રહીશ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd