• મંગળવાર, 24 જૂન, 2025

ભોજાયની ત્રીરોગ શિબિરમાં 41 દર્દીની તપાસણી

ભુજ, તા. 23 : ભોજાય સર્વોદય ટ્રસ્ટ તરફથી ત્રિદિવસીય ત્રીરોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કસ્તૂરબેન ડુંગરશી ગાલા નવનીત મહિલા કેન્દ્રના ઉપક્રમે યોજાયેલી શિબિરમાં ગર્ભાશય ગાંઠ, ઓવરી ગાંઠ, વાંગો, શરીરનું બહાર આવવું ઇત્યાદિ રોગથી પીડાતી 41 મહિલાની શારીરિક તપાસ ડો. ઐશ્વર્યાબેને કરી હતી. 20 દર્દીનાં ઓપરેશન કરાયાં હતાં. ડો. મંદાર રાનડે, ડો. બ્રિજેશસિંઘ અને ડો. શિલ્પાસિંઘે 17 મહિલા દર્દીનાં સફળ ઓપરેશનો કર્યાં હતાં. ત્રણ દર્દીનાં ઓપરેશન ડો. જોગલે લેપ્રોસ્કોપ (દૂરબીન)થી કર્યાં હતાં. દર્દીઓને એનેસ્થેસિયા ડો. ઉમેશ કટારમલે આપ્યા હતા. ત્રીરોગ શિબિરનું સંકલન નવીન મારવાડાએ કર્યું હતું. ઓ.ટી. આસિસ્ટન્ટ તરીકે હરેશ મારવાડા, સાગર મહેશ્વરી, સંજય બડગા, યશ માતંગ, દીપક મોખાએ ફરજ બજાવી હતી. સિસ્ટર્સ સુનિતા, સંગીતા, સ્મીતા અને નર્મદાએ દર્દીઓની નર્સિંગ વ્યવસ્થા સંભાળી હતી. સ્વયંસેવક તરીકે હરીશ, તરલા ગોસર, ભાવના મારવાડા, દેવરાજ માતંગ હાજર હતા. વોર્ડની સફાઇ-સારસંભાળ મૂરજી, કરશન, મેઘબાઇ અને ભાવના મહેશ્વરીએ સંભાળી હતી. ત્રણ મહિલા દર્દી માટે સાત બોટલ લોહીની આપૂર્તિ જીવનજ્યોત બલ્ડ બેન્કે કરી હતી. આ શિબિરને કન્સર્ન ઇન્ડિયા ફાઉન્ડેશને સ્પોન્સર કરી હતી. આગામી ત્રીરોગ શિબિર 25 જુલાઇના યોજવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd