ભુજ, તા. 23 : આર.ટી.
ઓ. રિલોકેશન પાસે આવેલી યોગેશ્વરધામ સોસાયટીમાં નવનિર્મિત શિવમંદિરનો ત્રિદિવસીય
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિર્માણના મુખ્ય દાતા સ્વ. રમિલાબેન નેમચંદભાઇ મહેતા
પરિવારના વિપુલભાઇ મહેતા તથા અતુલભાઇ મહેતાના મુખ્ય યજમાનપદે ઊજવવામાં આવ્યો હતો.
મહોત્સવના આચાર્ય દુર્ગેશભાઇ શાત્રી તથા ભુદેવો દ્વારા દેવતાઓના શાત્રોક્ત પૂજન
બાદ દાતા જયસુખભાઇ માણેક તથા બલભદ્રસિંહ જાડેજાને ત્યાંથી શોભાયાત્રા કાઢવામાં આવી
હતી. જેનું સ્થાનિક તથા આસપાસની સોસાયટીના ભાવિકોએ સ્વાગત અને પૂજન કર્યું હતું.
અંતિમ દિવસે પ્રાણપ્રતિષ્ઠા હોમ તથા મૂર્તિ સ્થાપન બાદ મહાનુભાવો અને નિર્માણ
કાર્યના દાતાઓના સન્માન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદના
દાતા તરીકે વિનોદભાઇ સોલંકી,
સુરેશભાઇ મારવાડા તથા દીપ કનુભાઇ ઠક્કર પરિવારે સેવા આપી હતી.
આયોજનમાં રાત્રે નૃત્ય કલાકાર દેવાંશી
સોમપુરાની નૃત્યકલા પ્રસ્તુતિ, રાસ-ગરબા તેમજ કલાકારો રાજ
ગઢવી અને પિનલબેન પ્રજાપતિની સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અતિથિવિશેષ
તરીકે ઉપસ્થિત સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ
દેવજીભાઇ વરચંદ, ધારાસભ્ય કેશુભાઇ પટેલે ધર્મ અને સંસ્કૃતિના
પ્રતિક સમાન મંદિરના નિર્માણ બદલ રાજીપો વ્યક્ત કરી સોસાયટીની એકતાને બિરદાવી હતી.
તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાહુલભાઇ ગોર, કારોબારી ચેરમેન
મહિદિપસિંહ જાડેજા, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, નગરસેવકો કશ્યપ ગોર, રસિલાબેન પંડયા, શંભુભાઇ રબારી ઉપસ્થિત રહ્યા હતા.
સમિતિના પ્રમુખ હરિશભાઇ ભાટીઆએ નિર્માણકાર્યની વિગતો આપી દાતાઓનો આભાર માન્યો હતો.
સન્માન સમારોહમાં મુખ્ય દાતા વિપુલભાઇ મહેતા તથા અતુલભાઇ મહેતા પરિવાર, કલરકામ રૂા. 2,51,000ના દાતા જીતેન્દ્રભાઇ તથા
નિતીનભાઇ નાકર, બે લાખના દાતાઓ રાહુલભાઇ ગોર, રાજેશભાઇ શાહ, મંદિર નિર્માણ માટે વિશેષ સેવાઓ આપનારા હરિશભાઇ ભાટીયા, વિનોદભાઇ ચૌહાણ, નિહારભાઇ ગુંસાઇ તથા મહિલા મંડળના
પ્રમુખ પદ્માબેન પટેલ, મંદિરના સેવાભાવી એન્જિનિયર
પ્રશાંતભાઇ સોમપુરા તેમજ અન્ય સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન
વિનોદ ચૌહાણ તથા રાજેશભાઇ ગોરે કર્યું હતું. સીમાબેન મહેતા, દીપભાઇ
ઠક્કર, અશોકભાઇ દરજી, સુધીરભાઇ ઠક્કર,
જયેશભાઇ પટેલ, વિનોદભાઇ ઠક્કર, હરીલાલ યાદવ તથા પૂજારી અનિલગર ગુંસાઇએ સહયોગ આપ્યો હતો.