ગઢશીશા (તા. માંડવી), તા. 23 : છાત્રોને
અભ્યાસ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા તથા
તેમની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવાના હેતુસર ગઢશીશા સમસ્ત બ્રહ્મસમાજ
દ્વારા સતત બીજા વર્ષે બાલમંદિરથી ધોરણ 12માં અભ્યાસ કરતા છાત્રોને
વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાયું હતું. પ્રમુખ હિતેશભાઇ મોતાના અધ્યક્ષસ્થાને
યોજાયેલા આ કાર્યક્રમમાં ચાલુ સાલે નોટબુક સ્વ. મુક્તાબેન લાભશંકરભાઇ ભટ્ટ હસ્તે
જયંતભાઇ તથા શૈલેષભાઇ (ગુડ્ડી ટ્રાવેલ્સ) તથા પ્રજ્ઞેશભાઇ જાની (જીએમડીસી) દ્વારા વિનામૂલ્યે
અપાઇ હતી. પ્રમુખસ્થાનેથી હિતેશભાઇ મોતા દ્વારા આગામી દિવસોમાં સરસ્વતી સન્માન કરી
તેજસ્વી છાત્રોને સન્માનિત કરવા સાથે સમાજવાડી નિર્માણની વાત કરતા માતબર રકમ એકત્ર
કરાઇ હતી. સમાજના જ યશ્વી મેહુલભાઇ નાયક એમબીબીએસમાં પ્રથમ વર્ષમાં ફર્સ્ટ ક્લાસ
પાસ તથા ધોરણ 10માં સમગ્ર ગઢશીશા કેન્દ્રમાં પ્રથમ તીર્થ જિજ્ઞેશ આચાર્યનો
દાખલો આપી નવસર્જન વિહારના આચાર્ય નીતાબેન
વ્યાસએ સમાજના છાત્રોને ઉજ્જવળ કારકિર્દી બનાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્રભાઇ આચાર્ય, મહિલા મંડળ પ્રમુખ
કલાવંતીબેન જોશી, યુવક મંડળ પ્રમુખ રીતેશ વ્યાસ, દાતા પરિવારના શૈલેષભાઇ, જયંતભાઇ, પ્રજ્ઞેશભાઇ મંચસ્થ રહ્યા હતા. આયોજનમાં સમાજ જોડાયો હતો. સંચાલન
પ્રજ્ઞેશભાઇ ત્રિવેદીએ કર્યું હતું.