લીડસ, તા. 23 : ભારતે
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 371 રનનો
લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસની રમત પૂરી થઇ ત્યારે ઇંગ્લેન્ડે બીજા દાવમાં વિના
વિકેટે 21 રન બનાવી લેતાં આવતીકાલે અંતિમ દિવસે મેચ જીતવા 350 રન
દૂર છે. જેક ક્રોલી 12 અને બેન ડકેટ 9 રને
દાવમાં છે. ભારતે બીજા દાવમાં કે.એલ. રાહુલ (137) અને રિષભ પંત (118)ની
શાનદાર સદીની મદદથી 365 રન બનાવ્યા હતા. પંતે બીજા
દાવમાં પણ સદી સાથે વિક્રમ બનાવ્યો હતો. રાહુલ અને પંત વચ્ચે ચોથી વિકેટ માટે 195 રનની
ભાગીદારી થઇ હતી. જો કે, આ જોડી તૂટતાં જ ટીમની બેટિંગ વિખેરાઇ હતી અને ટીમે છેલ્લી પાંચ વિકેટ 31 રનમાં
ગુમાવતાં 365 રને ઓલઆઉટ થઇ હતી. ઓપનર કે.એલ. રાહુલ અને
વિકેટકીપર રિષભ પંતની શાનદાર સદીની મદદથી ભારતે બીજા દાવમાં 364 રન
કર્યા હતા. આથી ઇંગ્લેન્ડને જીત માટે 371 રનનો મુશ્કેલ વિજય લક્ષ્યાંક
મળ્યો છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ કરતાં ભારતના વિજયની તક વધુ છે. મેચ ડ્રો
જવાની પણ સંભાવના છે. મેચનો આવતીકાલે અંતિમ દિવસ રસપ્રદ બની રહેશે. ઇંગ્લેન્ડ ટીમ
તેની આક્રમક બેટિંગ માટે જાણીતી છે. તે કદાચ રન લક્ષ્યાંકનો પીછો કરવાનું પસંદ કરી
શકે છે, જ્યારે
ભારતીય ટીમ બુમરાહની આગેવાનીમાં ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરી યાદગાર જીત માટે ભરચક
પ્રયાસ કરશે. પહેલા દાવમાં ભારતે આખરી 7 વિકેટ 41 રનમાં
ગુમાવી હતી. જ્યારે બીજા દાવમાં આખરી 6 વિકેટ 31 રનમાં
ગુમાવી હતી. કે.એલ. રાહુલે તેની ટેસ્ટ કારકિર્દીની નવમી સદી ફટકારી હતી. તે 247 દડામાં
18 આકર્ષક
ચોગ્ગાની મદદથી 137 રન કરી આઉટ થયો હતો. જ્યારે વિકેટકીપર
રિષભ પંતે બીજી ઇનિંગ્સમાં પણ સદી કરી કીર્તિમાન રચ્યા હતા. તેણે 140 દડામાં
1પ
ચોગ્ગા અને 3 છગ્ગાથી 118 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી.
રાહુલ અને પંત વચ્ચે ચોથી વિકેટમાં 283 દડામાં 19પ રનની
ભાગીદારી થઇ હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડના તમામ બોલરોની ભારે ધોલાઇ થઇ હતી. જો કે, આ બંનેના આઉટ થયા બાદ
ફરી એકવાર ભારતના નીચેના ક્રમના ખેલાડીઓ ટપોટપ આઉટ થયા હતા. કરુણ નાયર 20, શાર્દુલ ઠાકુર 4 અને
સિરાજ-બુમરાહ-કૃષ્ણા ઝીરોમાં આઉટ થયા હતા. જાડેજા 2પ રને નોટઆઉટ રહ્યો હતો.
ઇંગ્લેન્ડ તરફથી બાયડન કાર્સ અને જોશ ટંગને 3-3 વિકેટ મળી હતી. બશિરને બે વિકેટ
મળી હતી. ભારતે આજે તેનો બીજો દાવ 2 વિકેટે 90 રનથી
આગળ વધાર્યો હતો. ભારતે કેપ્ટન શુભમન ગિલ (8)ની વિકેટ દિવસની બીજી ઓવરમાં જ
ગુમાવી હતી.
શુભઆરંભ : ભારત તરફથી પહેલીવાર
એક ટેસ્ટમાં પ સદી
શુભમન ગિલની આગેવાનીમાં ટીમ
ઇન્ડિયાના નવા યુગનો શુભઆરંભ થયો છે. ભારતીય ટીમે તેના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર
એક ટેસ્ટમાં પાંચ સદીનો વિક્રમ બનાવ્યો છે. પહેલા દાવમાં યશસ્વી જયસ્વાલ, કપ્તાન શુભમન ગિલ અને
રિષભ પંતે સદી કરી હતી, જ્યારે બીજા દાવમાં કે.એલ. રાહુલ અને
રિષભ પંતે સદી કરી છે. વિશ્વ ક્રિકેટમાં એક ટેસ્ટમાં પાંચ સદીનું પરાક્રમ છઠ્ઠીવાર
કોઇ ટીમે કર્યું છે.