માંડવી, તા. 23 : સ્વ.
ગોકુલદાસભા ખીમજી બાંભડાઇ દાદાજીની જન્મજયંતીએ માંડવી મહાત્મા ગાંધી કુમાર
છાત્રાલયના છાત્રો દ્વારા ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્ર્યસેનાની, વનસ્પતિશાત્રી, લેખક, સાહિત્યકાર, લોકસેવા,
દીન-દુ:ખિયાના બેલી એવા મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયના આદ્યસ્થાપક
દાદાજીની પ્રતિમાએ મુંદરાના પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનિચાના હસ્તે દીપ પ્રાગટય
કરી પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. આ અવસરે તેમનાં જીવનના અનેક પ્રસંગો યાદ કરી
દાદાજીનાં શિક્ષણનાં સપનાંઓ સમાજ માટે પૂરાં કરવા આહ્વાન આપી સમાજમાં શિક્ષણ
વધારવા અપીલ કરી હતી. છાત્રાલયના ગૃહપતિ પરેશભાઇ મહેશ્વરીએ સ્વાગત કર્યું હતું.
આચાર્ય શ્રી ભાટિયા, મામલતદાર હરેશભાઇ વાડા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભારતીબેન વાડા, પૂર્વ ગૃહપતિ
ખેતશીભાઇ મહેશ્વરી, લક્ષ્મીચંદ ફુફલ, મુકેશ
ફુફલ, દિનેશ કાનજીભાઇ, ભર્યાભાઇ,
મોહનભાઇ મહેશ્વરી, ચાંપશીભાઇ લાંભા, રામજીભાઇ, નારણભાઇ અબચુંગ, શંકરભાઇ,
હરેશભાઇ વિંઝોડા, ધરમશીભાઇ ડુંગરિયા, દામજીભાઇ, હીરજીભાઇ લાંભા વિ. ઉપસ્થિત રહ્યા હતા.
સંચાલન તથા આભારવિધિ બાલારામ પારિયાએ કરી હતી.