• બુધવાર, 18 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ ગાંધીધામના સમા ખેરૂનીશા ઇબ્રાહિમ (ઉ.વ. 57) તે મ. ઇબ્રાહિમ ઉમરના પત્ની, મ. ઉમર ઇબ્રાહિમના પુત્રવધૂ, મ. રહેમતુલ્લાના ભાભી, સમા અકરમ ઈબ્રાહિમ, સમા સાજીદ ઇબ્રાહિમ, સમા ઉમરના માતા, શાયજાદ બકાલી (માંડવી)ના સાસુ, ઇબ્રાહિમ ભચુ, અબ્દુલકાદર ભચુ (ફૂલવાળા), મ. અબ્દુલસતાર ભચુના બહેન તા. 17-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-6-2025ના સવારે 9થી 10 નિવાસસ્થાન ધારાનગર, કોડકી રોડ, ભુજ ખાતે.

ભુજ : રાવાલા હાજી તાહેરહુસેન અબ્દુલમજીદ મેમણ (ઉ.વ. 74) તે તૌસિફ, તશરીનના પિતા, સબા તૌસીફ મેમણ અને ફારૂક આદમભાઈ ચાકીના સસરા તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-6-2025ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન અલમદીના મસ્જિદ, જયહિન્દ નગર, મેમણ કોલોની સામે, ભુજ ખાતે.

અંજાર : તુરિયા સુલ્તાન (ઉ.વ. 21) તે તુરિયા મન્સુરઅલી આદમના પુત્ર, હનીફ ઓસમાણના પૌત્ર, સમીર, ફજલે કરીમના ભાઇ, સાંધાણી મજીદના જમાઇ તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-6-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મસ્જિદે ખીજરા, નવા અંજાર ખાતે. 

અંજાર : મૂળ લફરાના ગોસ્વામી મનસુખગિરિ ગવરીગર (ઉ.વ. 52) તે રીટાબેનના પતિ, સ્વ. જવેરબેન ગવરીગર ખીમગરના પુત્ર, મંગળાબેન વિશ્રામગર નારાયણગર (વીરા)ના જમાઈ, સ્વ. અરજણગર, સ્વ. હરિગર, છગનગર, રમેશગર, ધીરજબેન, લક્ષ્મીબેન મુલગર (મેઘપર), નર્મદાબેન લક્ષ્મણગર (અંતરજાળ)ના ભાઈ, સ્વ. મયાગર, સ્વ. ભાણગર, સ્વ. ધનબાઈના ભત્રીજા, અક્ષયગિરિ, વિશાલગિરિના પિતા, ભગવતીબેનના સસરા, ચંદ્રિકાબેન, સ્વ. અમૃતબેન, સ્વ. મુક્તાબેનના દિયર, લીલાબેનના જેઠ, જગદીશગિરિ, તુલસીગિરિ, જયેશગિરિ, હસમુખગિરિ, સ્વ. રીટાબેન, કિરણબેન મુલેશપુરી (પદ્ધર), મનીષાબેનના કાકા, ધર્મિષ્ઠાબેન કલ્પેશગિરિ (વિંગડિયા), સંજનાબેન ચેતનગિરિ (રામાણિયા), સિદ્ધિબેનના મોટાબાપા, ધારાબેન, જુલીબેન, દિવ્યાબેન, કરિશ્માબેનના કાકાઇ સસરા, કમળાબેન પીયૂષગિરિ, નિશાબેન મુકેશગિરિ, અનુબેન બાબુગિરિના બનેવી, દીપ, વિહાન, આરાધના, દક્ષ, અપેક્ષા, નવ્યા, પ્રાંશુલના દાદા તા. 10-6-2025ના અવસાન પામ્યા છે.

માંડવી : નવીન ઝાલા (ઉ.વ. 61) તે જમનાબેન માવજી ઝાલાના પુત્ર, રોહિણીબેનના પતિ, વેદિકા, જેવિકા, કોનિકાના પિતા, પ્રવીણ માવજી ઝાલાના મોટા ભાઇ, વિજયાબેન પ્રવીણ ઝાલાના જેઠ, સ્વ. સામીબેન ટમુભાઇ પાંજરીવાલાના જમાઇ, કિશોર ટમુભાઇ પાંજરીવાલા, ઉમેશ ટમુભાઇ પાંજરીવાલાના બનેવી, પારૂલબેન, હેમાબેનના નણદોયા, કિશન જેઠવા, હર્ષ કષ્ટાના સસરા, તેજસ, સ્વ. પૂજા, અમિત, ભૂમિ, મહેકના ફુવા, સ્વ. ચત્રભુજભાઇ, ભાણજીભાઇ, જોષ્નાબેન જેઠવાના ભાણેજ, રાખી, ઉષા, લીલાવંતી, જિજ્ઞા, પ્રજ્ઞા, ધર્મેશ, વિદ્યાના ભાઇ તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-6-2025ના સાંજે 4થી 5 (ભાઇઓ તથા બહેનોની સાથે) રામેશ્વર વાડી, ખારવા પાંચાડા, માંડવી ખાતે.

નખત્રાણા : સોની ભાઇલાલ (બકાભાઇ) વિશ્રામભાઇ (કટ્ટા) તે સ્વ. સોની વિશ્રામભાઇ જેઠાલાલ તથા સ્વ. ચંચળબેનના પુત્ર, અરૂણાબેનના પતિ, નીરવ, દર્શના, હેતલ, ઉષા, રિદ્ધિના પિતા, વિહાનના દાદા, સ્વ. સોની પરસોત્તમ વાલજી બારમેડા (ડેમઇ)ના જમાઇ, જિતેન્દ્ર, મિતુલના બનેવી, જયેશ, હિરેન, નીરવ, રાજન, શીતલના સસરા, રીટાબેન, કલ્પનાબેન, અલ્પાબેનના જેઠ, ધનસુખ, નવીન, સુરેશ, નિર્મળાબેન (માધાપર), ભાનુબેન (થાણા), સુશીલાબેન (મિરજાપર), ઉર્મિલાબેન (રાયપુર), શોભનાબેન (ઘાટકોપર), સરોજબેન (ભુજ), દક્ષાબેન (અંજાર)ના ભાઇ, અનિલ, મહેશ, સ્વ. બાબુલાલ, બટુક, ગોપી (ભુજ), ગીતા (અંજાર), જયશ્રી (ઘડાણી)ના મોટા બાપાના પુત્ર, પ્રિયા, મીરા, યશ, રાધિકા, એકતાના મોટાબાપા, દેવાંશી, પૂજા, સિદ્ધાર્થ, ભક્તિ, હેતાર્થ, ધ્યાનીના નાના તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-6-2025ના ગુરુવારે સાંજે 4થી 5 સોની સમાજવાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

લોરિયા (તા. ભુજ) : ખલીફા જેનાબાઇ (ઉ.વ. 70) તે મ. જુમા જખરાના પત્ની, કરીમ, અજીમના માતા, મ. અબ્દુલા આમદ, મ. ઓસમાણ આમદ (લોરિયા)ના બહેન, મ. આદમ જખરા (હબાય)ના ભાભી, ઓસમાણ, કાદર, ગની (હબાય)ના મામી, ગની આદમ (હબાય)ના મોટીમા, સુમાર (લોરિયા), આફતાબ (અંજાર), ગની (હબાય), ઇસ્માઇલ (મોરગર)ના સાસુ, સાલેમામદ, ડાડા (જૂના લોરિયા)ના ફઇ તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-6-2025ના ગુરુવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન હનુમાનનગર, લોરિયા ખાતે.

ગજોડ (તા. ભુજ) : આગરિયા ફકીરમામદ બુઢા (ઉ.વ. 54) તે મામદ, હાજી, અલીમામદ ઈબરાહીમના મોટા ભાઈ, અનીશના પિતા, આગરિયા ઇરફાન હુશેન (લોહારિયા)ના સસરા તા. 17-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-6-2025ના ગુરુવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ગજોડ ખાતે.

મોટા લાયજા (તા. માંડવી) : કનકાસિંહ દેવુભા જાડેજા (ઉ.વ. 66) તે સ્વ. દેવુભા જટુભાના પુત્ર, મનહરાસિંહ, ગિરિરાજાસિંહ, નરેન્દ્રાસિંહ, ઘનશ્યામાસિંહના મોટા ભાઈ, શિલ્પાબા, રવિરાજાસિંહ, ચંદ્રરાજાસિંહના પિતા તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી ભાઈઓ માટે વૈષ્ણવ સમાજવાડીમાં તેમજ બહેનો માટે નિવાસસ્થાને. ઉત્તરક્રિયા તા. 28-6-2025ના શનિવારે નિવાસસ્થાન દરબાર ગઢ, મોટા લાયજા ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : કાન્તાબેન લખમશી રામજી ધોળુ (ઉ.વ. 75)  તે લખમશી રામજી ધોળુના પત્ની, જયેશભાઈ, દિલીપભાઈ, વિનુભાઈના માતા, હંસાબેન, કિરણબેન, રસીલાબેનના સાસુ,   સ્વ. મોહનભાઈ, કેશુભાઈ, હરિભાઈ, અરાવિંદ, વેલબાઈ (ગઢશીશા), લીલાબેન (મદનપુરા), ભચીબેન (ભુજપુર), દમ્યાબેન (બિદડા), પાર્વતીબેન (બિદડા)ના ભાભી, સ્વ. ધનજી નાનજી સેંઘાણી  (મદનપુરા)ના પુત્રી તા. 16-6-2025ના અવસાન પામ્યા છે.  સાદડી તા. 18-6-2025ના સવારે 8થી બપોરે 12 રાયણ પાટીદાર સમાજવાદી ખાતે. મુંબઈ ખાતે સાદડી તા. 19-6-2025ના સાંજે 4થી 5 પાટીદાર ભવન, ડોમ્બિવલી ખાતે.

મથલ (તા. નખત્રાણા) : બળિયા કાનજીભાઇ (ઉ.વ. 70) તે ખેતબાઇ દેવજીના પુત્ર, લીલાબેનના પતિ, ગાંગજી અને હરિલાલના પિતા, સ્વ. દામજી, પ્રવીણ, રતનાબેન પ્રેમજી પરગડુ (લાખાપર), ડાયબેન ભોજરાજ જાજાની (ખટિયા)ના કાકા, સેવા ખેંગાર પરગડુ (કોઠારા), પરમાબાઇ ગોપાલ થાવર ખોખર (દોલતપર)ના જમાઇ, બુધા સેવા, કાયા સેવા, ડાયા ગોપાલના બનેવી, માલા ખીરસિંહ (ભાડરા)ના ભાણેજ, મહેશ, રમેશ, ભાવેશ, નીલેશ, જયેશ, ગીતાબેન દેવજી (ભારાસર), જયા, રુકમણિ, હંસા, સીતા, રમીલા, પ્રિયા, ઉન્નતિ, જયશ્રી, માનસી, રિયાના દાદા તા. 17-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 21-6-2025ના શનિવારે રાત્રે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 22-6-2025ના સવારે નિવાસસ્થાન મથલ ખાતે.

નાની તુંબડી (તા. ભચાઉ) : જાડેજા નિરૂભા ભગવાનજી (ઉ.વ. 42) તે જાડેજા સ્વ. ભગવાનજી રતનજીના પુત્ર, સ્વ. સુરૂભા, દિલુભાના ભાઇ, જાડેજા માધુભા રતનજીના ભત્રીજા, રઘુવીરસિંહના પિતા, હેમુભા, બળુભા, ગંભીરસિંહ, ગજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, ચેતનસિંહ, ચંદુભા, વિક્રમસિંહના કાકાઇ ભાઇ, રાજેન્દ્રસિંહ, રવિરાજસિંહ, યુવરાજસિંહ, રોહિતસિંહના કાકા, લકીરાજસિંહ, પ્રિન્સરાજસિંહના મોટાબાપુ, સ્વ. ગોહિલ ખાનુભા દાદુભા (ંગંગોણ)ના જમાઇ તા. 17-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-6-2025થી 27-6-2025 સુધી નિવાસસ્થાને. ધાર્મિકક્રિયા તા. 27-5-2025ના શુક્રવારે નિવાસસ્થાને નાની તુંબડી ખાતે.

કબરાઉ (તા. ભચાઉ) : રાહુલકુમાર (ઉ.વ. 22) તે સાધુ મહેન્દ્રકુમાર વિનંતીદાસના પુત્ર, દિનેશકુમાર, ઉમેશ વિનંતીદાસના ભત્રીજા, સાધુ કરસનદાસ (ભુટકિયા)ના જમાઈ, હિના, ગાયત્રી, ઊર્મિલબેનના ભાઈ તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તા. 20-6-2025ના શુક્રવારે.

ગુનેરી (તા. લખપત) : સાકોરબા ગોપાલજી જાડેજા (ઉ.વ. 82) તે સ્વ. ગોપાલજી સંગ્રામજીના પત્ની, હમીરજી, સ્વ. ગજાજીના માતા, રાજમલજી, જુવાનસિંહના મોટીમા, રણજિતસિંહ, જયદીપસિંહ, દિલીપસિંહના દાદી, કનૈયાના પરદાદી તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 25-6-2025ના રાત્રે અને ઉત્તરક્રિયા તા. 26-6-2025ના સવારે નિવાસસ્થાને.

અમદાવાદ : મૂળ અંજારના શિવપ્રસાદભાઈ (ઉ.વ. 82) (રિ. એડિ. ડાયરેકટર, સેન્ટર ફોર વર્કર્સ એજ્યુકેશન-નાગપુર) તે સ્વ. મુદ્રિકાબેન તથા સ્વ. વકીલ વ્રજલાલભાઈ વોરાના પુત્ર, સ્વ. નિરૂપમાબેનના પતિ, સ્વ. સવિતાબેન અને સ્વ. દિલીપરાયભાઈ માંકડના જમાઈ, એષા, જલધિના પિતા, રાજલ અને નિરાજભાઈના સસરા, સ્વ. અજિતભાઈ-ચિત્રાબેન અંજારિયા, અતુલભાઈ, હેતલબેન વૈદ્યના વેવાઈ, સ્વ. રામપ્રસાદભાઈ, સ્વ. હર્ષેન્દ્રબાળા, લક્ષ્મીપ્રસાદ, મીનાક્ષી, હર્ષવર્ધનના ભાઈ, સ્વ. મહેશભાઈ, બંકીમભાઈના બનેવી, રજનીબેનના દિયર, પન્નાબેન અને પ્રીતિબેનના જેઠ, હર્મીલાબેન, ઉષ્માબેનના નણદોઈયા, અવનીશ-જિજ્ઞાસા, મલ્હાર-મધુરા, દ્વિરેફ-હીરના કાકા, અનંગ-નિમિત્ત, હીરવા અસીમ મંકોડી, શમિત-નુપૂરના ફુઆ, કાશ્વીના દાદા, ઈરમા અને દ્યુતિના નાના, સ્તવ્યના મોટા દાદા તા. 16-6-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. સંપર્ક : જલધિ વોરા-99099 15650, એશા વોરા-98252 06371. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd