લીડસ, તા.16: ભારતીય
ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શુભમન ગિલનું કહેવું છે કે તેના પર હેડ કોચ ગૌતમ ગંભીર અને
મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનું કોઇ દબાણ નથી. શુભમન ગિલ રોહિત શર્માના સ્થાને
ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે. તે શુક્રવારથી શરૂ થતાં પ્રથમ ટેસ્ટથી ભારતીય
ટીમને આગેવાની સંભાળશે. પૂર્વ વિકેટકીપર દિનેશ કાર્તિક સાથેની વાતચીતમાં શુભમન
ગિલે જણાવ્યું કે કપ્તાની સંભાળવી મોટી જવાબદારી છે. મને ગંભીર અને અગરકરે પૂરી
આઝાદી આપી છે. મારા પણ તેમણે કોઇ દબાણ થોપ્યું નથી. બન્ને સાથે મારી સતત વાતચીત
થતી રહે છે. બસ તેવું એટલું ઇચ્છે છે કે એક લીડર તરીકે હું ખુદને અભિવ્યક્ત કરી
શકું. ગિલે કહ્યંy અમે સિરીઝ જીતવા સાથે એવી સંસ્કૃતિનું નિર્માણ કરવા માંગીએ
છીએ જેમાં ખેલાડી ખુદને સુરક્ષિત અને ખુશ મહેસૂસ કરી શકે. આ મારું લક્ષ્ય છે.