અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં
વરસાદી માહોલ વચ્ચે 13 આઈએએસ અધિકારીઓની
બદલી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીની ટુરીઝમ
કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનાજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
જ્યારે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશને રાજકોટના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા
છે. અમદાવાદ 2036 ઓલિમ્પિકની દાવેદારી માટે હાલ
તૈયારી કરી રહ્યું છે અને માળખાંગત સુવિધા પણ ઊભી કરવામાં આવી રહી છે ત્યારે રમતગમત
યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ તરીકે અશ્વિની કુમારને મૂકવામાં આવ્યા છે. આની સાથે
સાથે તેઓ સંસદીય અને વૈધાનિક બાબતોનો પણ હવાલો સંભાળશે. જ્યારે અન્ન અને નાગરિક પુરવઠાના
અગ્ર સચિવ રમેશચંદ મીનાને પણ અગ્ર સચિવ વાહન વ્યવહાર અને બંદરોનો વધારાનો હવાલો સોંપવામાં
આવ્યો છે. આ સાથે એમ. થેન્નારસન કે જેઓ રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ
હતા તેમને હવે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત
કરવામાં આવ્યા છે મેનાજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત માલિંદ તોરવણેને હવે અગ્ર સચિવ
તરીકે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ
રૂરલ ડેવલપમેન્ટના કમિશનર તરીકે નો ચાર્જ સંભાળશે અને સાથે સાથે તેઓ જીએસપીસીના એમડી
તરીકેનો પણ ચાર્જ સંભાળશે. આરતી કંવર કે નાણા વિભાગમાં હાલ આર્થિક બાબતોનો ચાર્જ સંભાળી
રહ્યા છે તેઓ વધારાનો સેક્રેટરી તરીકે નાણાં વિભાગમાં ખર્ચનો પણ હવાલો સંભાળશે. જેનું
દેવન જે હાલ સુપ્રીમટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન તરીકે
કામગીરી નિભાવી રહ્યા છે. તેમને વધારાના ચાર્જ
એમડી, મધ્ય ગુજરાત વીજ કંપનીનો
સોંપવામાં આવ્યો છે. તેજસ દિલીપભાઈ પરમાર કે જેઓ એમડી, મધ્ય ગુજરાત
વીજ કંપનીમાં હોદ્દો ધરાવતા હતા તેમને બદલીને હવે મ્યુનિસિપલ કમિશનર જુનાગઢ તરીકે મૂકવામાં
આવ્યા છે.