• બુધવાર, 18 જૂન, 2025

રોહા સુમરીમાં ધાર્મિક સ્થાનકની દાનપેટીમાંથી રોકડની ચોરી

ભુજ, તા. 17 : નખત્રાણા તાલુકાના રોહા સુમરી ગામમાં આવેલા મંદિરમાં સોમવારે મોડી રાત્રે ઘૂસેલા તસ્કરોએ દાનપેટી તોડી તેમાંથી અંદાજિત રૂા. 10 હજારની રોકડ તફડાવી હોવાનો બનાવ બહાર આવ્યો છે. વારંવાર બનતા ચોરના બનાવોથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. બાબતે મળતી વિગતો મુજબ, રોહા સુમરી ખાતે સમસ્ત રાણા ચાવડા પરિવારના મઢ ખાતે ચોરીનો બનાવ બન્યો હતો. મોડી રાત્રે કોઈ ચોર ઈસમોએ મંદિરમાં ગેરકાયદે પ્રવેશ કરી દાનપેટી તોડી તેમાંથી અંદાજિત રૂા. આઠથી 10 હજારની રોકડ ચોરી કરી નાસી ગયા હતા. બાબતે મંગવાણા પોલીસને જાણ કરાતાં પોલીસે તપાસ આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગામમાં ગાત્રાળ માતાજીના મંદિરમાંથી ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો, તો ગામમાં છેલ્લા 10 માસમાં જુદા-જુદા 9-10 દેવસ્થાનને તસ્કરોએ અભડાવ્યા છે. વારંવાર થતી ચોરીના પગલે ગામલોકોમાં નારાજગી સાથે રોષ ફેલાવા સાથે ધાર્મિક લાગણી દુભાઈ છે. પોલીસ ચોર ટોળકી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ગુનેગારોને પકડે તેવી પણ ગામના અગ્રણીઓએ માંગ કરી હતી

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd