• બુધવાર, 18 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : પ્રભુદાસ આસનદાસ વાસુ (ઉ.વ. 73) તે સ્વ. ગીતાબેનના પતિ, સ્વ. આસનદાસ કેશવદાસ વાસુ (કુકાણી)ના પુત્ર, રેખાબેન લક્ષ્મણ (રાજકોટ)ના દિયર, નલિની તિલક પનિઆ (બહેરીન)ના ભાઈ, સ્વ. કિશનચંદ આસનદાસ મેગનાની (ઉદેપુર)ના જમાઇ, પવન (વી. એમ. એન્ટરપ્રાઇઝ)ના પિતા, સ્વ. રુકમણિ પરમાનંદ પનિઆ, સ્વ. જગદીશ ખેમચંદ, સ્વ. તુલસીદાસ ખેમચંદ, અશોક ખેમચંદ, સંતોષ ખેમચંદ, ગીતા મહેશ બોરા, ભાનુબેન વિજય પુરોહિતના કાકાઇ ભાઇ, જય (ટ્રેઝરી-અંજાર), કપિલ (આઇસીઆઇસીઆઇ-અમદાવાદ), દીપક, ઋષિ (રાજકોટ), વિશાલ અશોક, હિરેન સંતોષ, વૈશાલી લલિત પુરોહિત, હર્ષા સંજય બચાણી, પૂજા પરેશ મપારા, પ્રિયા (ન્યૂઝીલેન્ડ), સ્વ. હેતલ આનંદ પનિયાના કાકા તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-6-2025ના સોમવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.

ભુજ : મૂળ કોઠારા (તા. અબડાસા)ના કચ્છી રાજગોર બ્રાહ્મણ ગં.સ્વ. શાંતાબેન હીરજી નાગુ (ઉ.વ. 85) તે સ્વ. હીરજી લીલાધર નાગુના પત્ની, સ્વ. લક્ષ્મીબેન લીલાધર નાગુના પુત્રવધૂ, સ્વ. ધનબાઈ ગવરીશંકર નાકર (કોઠારા)ના ભાભી, સ્વ. મણિબાઈ ભવાનજી શિણાઈના પુત્રી, નરેન્દ્ર ગોર (સાગર), ભરત રાજગોર (રિટાયર્ડ તિજોરી કચેરી) બિપિન (શિક્ષણાધિકારી કચેરી)ના માતા, રસીલા (નિ. દીનદયાલ વિદ્યાલય), લિના, આરતી (શિક્ષણાધિકારી કચેરી)ના સાસુ, સ્વ. ગૌરીશંકર ખીમજી શિણાઈ (મુલુંડ), સ્વ. ઝવેરબેન વિઠ્ઠલજી નાકર (કોઠારા), સ્વ. વેલબાઈ હરિરામ બોડા (ગુંદિયાળી), ગં.સ્વ. ચંદ્રિકાબેન મોહનલાલ મોતા (નાગલપુર)ના બહેન, નિશાંત (સ્ટાર ગાઝિંગ ઇન્ડિયા), પ્રશાંત (આશાપુરા પરફોકલે), શ્રુતિ, રાઘવ, ધ્રુવિનના દાદી, ચાંદની, વંદના (એસ. આર. ગણાત્રા પ્રા. શાળા આદિપુર), કેવલના દાદીસાસુ, દ્વિજા, મંત્ર, નિર્ઝર, દિત્યાના પરદાદી, હર્વના પરનાની તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા 17-6-2025ના મંગળવારે સાંજે 5થી 6 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ ભીટારાના હાલે મુંબઈ વિરાર કચ્છી રાજગોર બ્રાહ્મણ ગં.સ્વ. ગીતાબેન (ગોદાવરી) ગૌરીશંકર માકાણી (ઉ.વ. 66) તે ભાવનાબેન અને નિલેશભાઈના માતા, અવનીબેન અને લાભશંકરના સાસુ, ક્રિષા અને વેદના દાદી, સ્વ. પાર્વતીબેન મીઠુભાઈ મોતા (ભુજ)ના પુત્રી, રમેશભાઈ, ચંદુભાઈ, ગં.સ્વ. હેમલતાબેન લાલજી, ગં.સ્વ. મુક્તાબેન દિલીપભાઈ, ગં.સ્વ. સાવિત્રીબેન વિસનજી, ભાનુબેન ધીરજલાલ, જયશ્રીબેન જયંતીલાલ, સ્વ. પ્રતિમાબેન પીયૂષભાઈ, ગં.સ્વ. શિલાબેન કાન્તિલાલના બહેન, રમીલાબેન, સ્વ. ચંપાબેનના નણંદ, માલતી હિતેશભાઈ, શિલ્પા ભરતભાઇ, રીટા સંજયભાઈ, અપેક્ષા શંભુલાલ, નેહલ જીતેનભાઈ, જીનલ ધવલભાઈ, બિંદી, હરદેવના ફઈ, સ્વ. રાધાબેન બચુભાઈ, સ્વ. જયાબેન રવિલાલ, ગં.સ્વ. અમરતબેન જયંતીલાલ, ગં.સ્વ. ગુણવંતીબેન શંકરલાલ ભીમજીના ભત્રીજી તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 17-6-2025ના મંગળવારે સાંજે 4.30થી 5.30 ત્ર્યંબકેશ્ચર સમાજવાડી ખાતે.

ભુજ : કિશનભાઇ મૂલચંદ રૂપારેલ (ઉ.વ. 88) (નાયબ ચીટનીશ-ભુજ) તે સ્વ. હરિયાબાઇ મૂલચંદભાઇ રૂપારેલના પુત્ર, સ્વ. સાવિત્રીબેનના પતિ, દિનેશ, હિતેષ, સરોજ, અનિતાના પિતા, નીલમ, લાજવંતી, સુંદરભાઇ, મયૂરભાઇના સસરા તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-6- 2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : મોઇઝભાઇ ગુલામહુસૈન જમાલી (ઉ.વ. 81) તે સાકરબેન મોઇઝભાઈ જમાલીના પતિ, મુર્તઝાભાઈ મુફદ્દલભાઈ વેજલાણી (વેજલાણી ટ્રેડર્સ)ના નાના તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 16-6-2025ના સોમવારે રાત્રે 8 વાગ્યે બુરહાની મસ્જિદ, વોહરા કોલોની, મુંદરા રોડ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ દેશલપર કંઠીના ગોસ્વામી બુદ્ધપુરી ભીમપુરી (ઉ.વ. 83) (ભવનાથ મહાદેવ મંદિરના પૂર્વ પૂજારી) તે મધુબેનના પતિ, સ્વ. રાધાબેન ભીમપુરીના પુત્ર, સ્વ. દેવબાઇ મોતીગરના ભાઇ, સ્વ. નારાણપુરી, સ્વ. વર્ષાબેન, સ્વ. ગીતાબેન, ભવાનીબેન, અનુબેનના પિતા, પૂજાબેન, સ્વ. નરેન્દ્રગિરિ, સ્વ. મહેશગિરિ, પ્રવીણભારથી, વિજયભારથીના સસરા, સ્વ. પ્રેમપુરીના કાકાઇ ભાઇ, હિતેનપુરી, ગૌરીપુરી, નિર્મળાબેન, ભાનુબેન, સ્વ. નયનાબેનના કાકા, સ્વ. મોઘીબેન માનગર (વિંગડિયા)ના જમાઇ, સ્વ. બાલગર, પ્રતાપગર, સ્વ. તુલસીગરના બનેવી, મંગળાબેન, રમેશગર, શંભુગરના મામા, જુલી, જિગર, જતિન, માનસી, વિનિત, ધૃતિ, યુગ, જીતના નાના, મયૂર, મેહુલ, પ્રિયા, પૂજા, હિરલ, સુમિતના દાદા તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-6-2025ના સોમવારે સાંજે 4થી 5 ભવનાથ મહાદેવ મંદિર, સથવારા સમાજવાડી, સેક્ટર-5, ગાંધીધામ ખાતે.

અંજાર : ડુંગરશી મોરારજી વોરાણી (ઠક્કર સાહેબ) (સ.વ.5. ગુજરાત વિદ્યાલય) (ઉ.વ. 83) તે ગં.સ્વ. શાંતાબેન મોરારજી વોરાણીના પુત્ર, મોરારજી દયાળજી વોરાણીના પૌત્ર, સ્વ. ઇન્દુબેન અને સીતાબેનના પતિ (પૂર્વ ઉપપ્રમુખ, અંજાર નગરપાલિકા), સ્વ. ભાગીરથીબેન જેરામભાઈ કુંવરજીના જમાઈ, સ્વ. રણછોડદાસ, સ્વ. નવીનચંદ્ર, સ્વ. કેશવજીભાઈ વોરાણીના ભત્રીજા, અજય, વિજય, ધરતીના પિતા, સુનીતા (સ્વીટી) વિજય ઠક્કર, સચિન શશિકાંતભાઈ ઠક્કર (સ્મિત સ્ટડી સેન્ટર)ના સસરા, ક્રિશા, હેત્વીના દાદા, કાવ્યાના નાના, ગં.સ્વ. વસંતબેન લક્ષ્મીદાસ સોનેતા, દિલીપભાઈ, પ્રવીણભાઈ, મહેશભાઈ, ગિરીશભાઈના મોટા ભાઈ, સ્વ. જેઠાલાલભાઈ, સ્વ. દામજીભાઈ ગણાત્રા, ગં.સ્વ. લક્ષ્મીબેન, સ્વ. પ્રાગજીભાઈ, સ્વ. હીરાલાલભાઈ કોડરાણીના બનેવી, જયાબેન, કિરણબેન, પુષ્પાબેન, નીતાબેનના જેઠ, સ્વ. પ્રતીક, અંજલિ ગીતકુમાર કોટક, કરિશ્મા કિશનકુમાર કોટક, ખુશ્બૂ જયેશકુમાર દેસાઈ, હાર્દિકના મોટાબાપા, નેહા હાર્દિક ઠક્કરના મોટા સસરા, શૈલેશ, સ્વ. ચેતન, મનીષ, જાગૃતિ અશોકકુમાર પોપટના મામા તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-6-2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : મૂળ લલિયાણા (તા. ભચાઉ)ના પ્રજાપતિ નવીનભાઇ (ઉ.વ. 63) તે સ્વ. માવીબેન, સ્વ. બેચરલાલ ગોવિંદભાઇ ભટ્ટીના પુત્ર, ભગવતીબેનના પતિ, સ્વ. મોરારભાઇ, નારણભાઇ, નરેશભાઇ, કાન્તાબેન, મણિબેન, સ્વ. પાર્વતીબેન, મીનાબેનના ભાઇ, ધર્મિષ્ઠાબેન, હરેશભાઇના પિતા, વિજયભાઇ ભચુભાઇ વાઘાણીના સસરા, વિધિ, વિરલ, હીરના નાનાબાપા, સ્વ. જસીબેન, સ્વ. વેલજીભાઇ કરમશીભાઇ થરાદરા (અંજાર)ના જમાઇ, સ્વ. કાનજીભાઇ, રામજીભાઇ, દેવજીભાઇ, મંજુલાબેનના બનેવી તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-6- 2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર ખાતે.

અંજાર : શ્રીમાળી સોની પ્રફુલાબેન (ઉ.વ. 76) તે સોની જયંતભાઇ શંભુલાલ કોંઢિયા (આરામગૃહવાળા)ના પત્ની, સ્વ. શંભુલાલ જાદવજીના પુત્રવધૂ, સ્વ. દિવાળીબેન પોપટલાલ ગુસાણી (મુંદરા)ના પુત્રી, નીલેશભાઇ, કલ્પનાબેનના માતા, પલ્લવીબેન, અશોકકુમારના સાસુ, હાર્દિક, જહાન્વીના દાદી, અંજલિ, હર્ષિતકુમાર (રાજકોટ)ના દાદીસાસુ, અંજલિ કેવલકુમાર ચાંપાનેરિયાના નાની, સ્વ. મંજુલાબેન કિશોરભાઇના દેરાણી, પદમાબેન પ્રવીણભાઇ, સ્વ. ઇન્દિરોબેન અનંતભાઇ, અલ્કાબેન રજનીકાંતભાઇના જેઠાણી, સ્વ. જયાબેન, સ્વ. સાવિત્રીબેન, ગં.સ્વ. ક્રિષ્નાબેન, સ્વ. મણિલાલભાઇ, સ્વ. અરૂણભાઇના બહેન તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-6-2025ના સાંજે 5થી 6 મોહનવાડી, શહેર સોની સમાજ, લાયબ્રેરી ચોક, જૂની શાક માર્કેટની બાજુમાં, અંજાર ખાતે.

અંજાર : રાયમા હુરબાઇ હુશેન જુમ્મા (ઉ.વ. 85) તે મ. સમેજા ઇબ્રાહિમ નૂરમામદ (કુંભારિયા)ના પુત્રી, મ. હુશેન જુમ્માના પત્ની, મ. મામદ જુમ્મા, મ. નૂરમામદ જુમ્માના ભાભી, હાજી હુશેન, અનવર હુશેન, શરીફ બાવા હુશેનના માતા, મ. અલીફભાઇ (રાજકોટ), મ. હાજી બસીર (અંજાર), મ. હાજી દાઉદ (અંજાર), હસુભાઇ (મેમદાબાદ)ના સાસુ તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-6-2025ના બુધવારે સવારે 10થી 11 મસ્જિદ ખીઝરા, નયા અંજાર ખાતે.

અંજાર : ગાગોદરવાળા શ્રીમાળી સોની સુમિતકુમાર મનસુખલાલ કલોલિયા (ઉ.વ. 33) તે સ્વ. મટુબેન શાંતિલાલ કલોલિયાના પૌત્ર, જ્યોત્સનાબેન મનસુખલાલ શાંતિલાલ કલોલિયાના પુત્ર, દિવ્યાબેનના પતિ, શિયા અને જીનયના પિતા, રિંકલ, ભૂમિ, સાવનના મોટા ભાઈ, વૈશાલીબેનના જેઠ, વિશાલકુમાર અને વિકાસકુમારના સાળા, સાવિત્રીબેન, વર્ષાબેન, નીલમબેન, અરૂણાબેનના ભત્રીજા, સોની જૂઠાલાલ માવજીભાઈ કોરડિયા (રામવાવ)ના દોહિત્ર, પ્રવીણાબેન પ્રકાશભાઈ રણછોડભાઈ મોરવાડિયા (રાધનપુર હાલે અંજાર)ના જમાઈ, પાર્થ અને મિક્ષાના બનેવી તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-6-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 વાગડ વીશા શ્રીમાળી સોની સમાજવાડી, માનવ હોટેલની બાજુમાં, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : સુમરા હુરબાઇ રમજાન (ઉ.વ. 85) તે મ. રમજાન અલીમામદના પત્ની, મ. ફકીરમામદ અલીમામદના ભાભી, હસન અને ગુલામના માતા, આબીદ અને મોહંમદ ફૈઝના દાદી, કાસમ ઉમર, આમદ હારુન, સલીમ ઉમર (ભુજ)ના સાસુ, મ. હારુન (અલુ) અલીમોહંમદના બહેન તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-6-2025ના સવારે બહેનો માટે કુર્આનખ્વાની 10થી 11 અને 11થી 12 દાદલીમાની દરગાહ શરીફ કમ્પાઉન્ડમાં.

મુંદરા : અશરફબાઇ બિન્તે મુસા મામદ અલ્લુ (ઉ.વ. 85) તે અબ્દુલહુશેન અહેમદ માસ્તરના પિતરાઇ બહેન, હાજી મુસ્તાકભાઇ માસ્તરના ફઇ તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. ફાતેહાખ્વાની (જિયારત) તા. 16-6-2025ના સોમવારે સવારે 10.30 વાગ્યે ખોજા શિયા ઇશ્ના અશ્રી ઇમામ બારગાહ, કેરાઇ ફળિયું, મુંદરા ખાતે.

નખત્રાણા : કંકુબેન અબજી લીંબાણી (ઉ.વ. 92) તે સ્વ. અબજી કાનજીના પત્ની, રતનશીભાઇ, ધનજીભાઇ, જીવરાજભાઇ, દમયંતીબેન નારણ પાચાણી (બેંગ્લોર), હીરાબેન કાન્તિલાલ ચોપડા (કોલકાતા)ના માતા, ધનગૌરીબેન, રમણીલાબેન, મણિબેનના સાસુ, ત્રિભુવન, ધર્મેન્દ્ર, વિનોદ, તરુણ, હેમેન્દ્ર, ચંદ્રિકા ઘનશ્યામ નાકરાણી (ભરૂચ), લતાબેન સુરેશ છાભૈયા (વડોદરા), દુર્ગાબેન દીપેશ છાભૈયા (અંકલેશ્વર), જયશ્રીબેન નૈલેષ ભગત (અમદાવાદ), જ્યોતિબેન ભરત  ધોળુ (ગાંધીધામ), દર્શના નિકુંજ ગોગારી (અમદાવાદ)ના દાદી, ભારતીબેન, મીનાબેન, લતાબેન, વર્ષાબેન, ગીતાબેનના દાદીજી, કિશન, કાવ્ય, નીમ્ય, જૈવલ, હેન્સીબેન, જિયા, જ્યોત, પ્રાપ્તિ, નિયતિ, શાન્વી, મીશિતા, માન્યના પડદાદી તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-6-2025ના બપોરે 3થી 6 નખત્રાણા પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજવાડી, જૂનાવાસ ખાતે.

રાપર : મૂળ ડાભુંડાના વાળંદ નથુભાઇ ભૂરાભાઇ (ઉ.વ. 77) (માજી સરપંચ, ડાભુંડા ગ્રામ પંચાયત) તે સ્વ. સોમીબેન ભૂરાભાઇ ચૌહાણના પુત્ર, સ્વ. વીરાબેનના પતિ, સ્વ. મોતીભાઇ, હીરાભાઇ, ગં.સ્વ. દમયંતીબેન નારણભાઇ ભાટિયા, સ્વ. ગૌરીબેન દાનાભાઇ ભાટિયાના ભાઇ, હેમુબેન, ગીતાબેન, નીમુબેન, યોગેશભાઇ, સ્વ. રાજેશભાઇ, નીલેશભાઇના પિતા, જાટાવાડાના ગોહિલ સ્વ. માવજીભાઇ, સ્વ. દુદાભાઇ, સ્વ. રતિલાલ, ગં.સ્વ. કુંવરબેન જેમલભાઇ પરમારના બનેવી, વૈભવ, મનીષા, દર્શન, દીપાલી, પ્રેમ, ગૌતમ, હર્ષ, હેતલ, મિત્તલ, આયુષ, અરૂણ, યશ, મોહિત, ગૌરવના દાદા, મહેશ, રમીલા, રાહુલ, દક્ષાબેન, કિરણ, ધવલ, ભાવના, વસંત, વિશાલ, કમુ, છાયાબેનના મોટાબાપા, સ્વ. માદેવાભાઇ, સ્વ. વજુભાઇ, કાનજીભાઇ, સ્વ. રૂડાભાઇ, સ્વ. મેમાભાઇ, દેવજીભાઇ લખમણભાઇ, છગનભાઇ વલુભાઇ, ચત્રભુજભાઇ રણછોડભાઇ, કાન્તિભાઇ વેલજીભાઇ, દિનેશભાઇ માદેવાભાઇ, શંકરભાઇ કાનજીભાઇ, મહેશભાઇ મેઘજીભાઇના કાકાઇ ભાઇ, સ્વ. બાઉભાઇ ધનજીભાઇ, સ્વ. નાનજીભાઇ જોગાભાઇ, કરશનભાઇ કરમશીભાઇ (ગાગોદર)ના ભાણેજ, રામજી, પ્રભુ, ચંદુ, રમેશભાઇ ખીમજીભાઇ, નારણભાઇ છગનભાઇ, રમેશભાઇ બાબુભાઇ, જયેશભાઇ દેવજીભાઇના કાકા તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. મોરિયા તથા લોકાઇ તા. 23-6-2025ના સોમવારે નિવાસસ્થાને તિરૂપતિનગર, વાળંદ સમાજવાડી, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ સુખપરના જગદીશગર રેવાગર ગોસ્વામી (ઉ.વ. 53) તે ગં.સ્વ. હીરાબેન રેવાગર કાકુગરના પુત્ર, સરસ્વતીબેનના પતિ, કિશન, પ્રતીક, ઉર્વશીના પિતા, ભરતગર, કમલેશગર, મિતુબેન, સ્વ. કલ્પનાબેન, દિનેશગર, શૈલેષગરના ભાઇ, કમળાબેન, પુષ્પાબેન, કવિતાબેન, રંજનબેનના જેઠ, સ્વ. નર્મદાબેન હરેપુરી (ઢોરી)ના જમાઇ, હરિસ્તાબેન, કલ્પનાબેન, જ્યોત્સનાબેન, લક્ષ્મણપુરી, ઉમેશપુરીના બનેવી, સુરેશગિરિ, ભરતગિરિ, સ્વ. અશ્વિનગિરિના સાઢુભાઇ, હરેશવન લાલવન (ભુજોડી), ભારતીબેન, રિદ્ધબેનના સસરા, મનીષગર (મિરજાપર), નવીનગર (દેઢિયા)ના સાળા, સંજયગિરિ, અંકિતગરિ, જયગિરિ, પ્રિન્સગિરિ, અમનગિરિ, જશગિરિ, જશ્મી, ઉર્વી, વૈશાલીના મોટાબાપા, પ્રિન્સવનના નાના, સ્વ. શાંતાબેન બચુપુરીના દોહિત્ર, રતનપુરી, જવેરપુરી, ભગવાનપુરી, જશીબેન, ધીરજપુરી (રતડિયા)ના ભાણેજ, ગં.સ્વ. કાશીબેન મોહનગરના ભત્રીજા તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-6-2025ના સાંજે 4થી 5 નિવાસસ્થાને ભવાની હોટેલ પાછળ, બાદશાહ કોલોની, માધાપર ખાતે. ધાર્મિકવિધિ તા. 27-6-2025ના નિવાસસ્થાને.

માધાપર (તા. ભુજ) : ગોદાવરીબેન (ઉ.વ. 80) તે સ્વ. ધનજી ઓધવજી રાયકુંડલના પત્ની, સ્વ. હરિરામ ધનજી દાવડાના પુત્રી, ગં.સ્વ. ભાનુબેન (ખાવડા), ગં.સ્વ. નીતાબેન (ભુજ), ગં.સ્વ. વર્ષાબેન (ભુજ), જયાબેન (મિરજાપર), ગીતાબેન (ગાંધીધામ), ગં.સ્વ. મીનાબેન (ખાવડા), તરુણાબેન, બી.કે. વિનોદભાઇ (ઝરપરા પીએચસી સુપરવાઇઝર, તા. મુંદરા), હેમેન્દ્ર (શિક્ષક, કે.જી. રાઠોડ વિદ્યાલય-કુકમા), અલ્પેશભાઇના માતા, વાણીબેન, રેખાબેન, સ્વ. હંસરાજભાઇ, સ્વ. ભીમજીભાઇ, સ્વ. વિનોદભાઇ, જગદીશભાઇ, શંકરભાઇ, સ્વ. દિલીપભાઇના સાસુ, સ્વ. નરસિંહભાઇ, દિલીપભાઇ, ગં.સ્વ. દેવાબેન, ચંપાબેન, ગં.સ્વ. ભગવતીબેનના ભાભી, ગં.સ્વ. જયાબેન, નર્મદાબેનના જેઠાણી, વેલાબેન, સ્વ. તુલસાબેન, સ્વ. રસીલાબેન, સ્વ. વિઠ્ઠલદાસ, કાનજીભાઇના બહેન, પ્રબોદ, હેતલ, યજ્ઞેશ, નેહલ, દીપના મોટાબા, અશ્વિન, રાજેશ, કૃપાલી હિરેનભાઇ (લોડાઇ), નયના મહેન્દ્રભાઇ (સામખિયાળી), સાગર (રાજા), વર્ષા ધર્મેશભાઇ (અંજાર), ખ્યાતિ, મોનિકા જિજ્ઞેશભાઇ (કેરા), પ્રજ્ઞેશ, યુક્તિ આકાશભાઇ (માધાપર), રાહુલ, નીલમ ધવલભાઇ (ભુજપુર), અક્ષય, કરણ, મિલન, ધ્રુવના નાની, હિરવા અને દેવાંશના દાદી તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષના સાદડી તા. 16-6-2025ના સોમવારે નિવાસસ્થાન માધાપર ખાતે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-6-2025ના મંગળવારે સાંજે 5થી 6 રૂખાણા હોલ, નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.

ઢોરી (તા. ભુજ) : સવા નારણ ચૈયા (ઉ.વ. 55) તે ગં.સ્વ. મેઘીબેન નારણ વસ્તા ચૈયાના પુત્ર, સભીબેનના પતિ, મૈયાબેન, મિત્તલબેન, પૂજાબેન, વિશાલના પિતા, ગાગલ લક્ષ્મણ કરશનના બનેવી, ચૈયા લક્ષ્મણ કરશનના પિતરાઇ ભાઇ તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઢોરી ખાતે.

તલવાણા (તા. માંડવી) : ગજરાબા ભીખુભા જાડેજા (ઉ.વ. 95) તે સ્વ ભીખુભા જગમાલજી જાડેજાના પત્ની, રાજેન્દ્રાસિંહ, કિરીટાસિંહના માતા, સ્વ. ભરતાસિંહ બુધુભા જાડેજા, મહિપતાસિંહ, મંગલાસિંહ, ઇન્દ્રજિતસિંહના ભાભી, સ્વ. સુરૂભા નટુભા જાડેજા, મહાવીરાસિંહ, વનરાજાસિંહ, ધ્રુવરાજાસિંહ, હર્દિપાસિંહના ભાભુ, રામદેવાસિંહ અને વિષ્ણાસિંહના દાદી, ઓમદીપાસિંહના પરદાદી, દિવ્યરાજાસિંહ, સુનીલાસિંહ, ક્રિપાલાસિંહના દાદી તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-6-2025થી 19-6-2025 ગુરુવાર સુધી અજાણી ભાયાતના ડેલામાં, તલવાણા ખાતે. ઉત્તરક્રિયા તા. 26-6-2025ના ગુરુવારે નિવાસસ્થાને.

મોટી ભડઇ (તા. માંડવી) : મોખા રહિમાબેન જુસબ (ઉ.વ. 80) તે હુશેન, રમજુના માતા, સમેજા હાજી ગનીના સાસુ, ભટી ફકીરમામદ, ભટી સુલેમાન, ભટી અલીમામદ, ભટી ઇભલા, ભટી જાકબના બહેન, મોખરા ખમીશા ઉમર, મોખરા મીઠુ ઉમરના ભાભી તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-6-2025ના મંગળવારે સવારે 11થી 12 નિવાસસ્થાન  મફતનગર, મોટી ભાડઇ ખાતે.

સાડાઉ (તા. મુંદરા) : જેનાબાઇ હાજી સુલેમાન જુણેજા તે મ. હાજી સુલેમાનના પત્ની, મ. હાજી અલીમામદ સદ્ધિક, મ. ઓસમાણ સદ્ધિક, રમજાન સદ્ધિકના ભાભી, દાઉદ અને કાસમના માતા, જુણેજા આદમ હુશેન, અકબર જુસબ, કાસમ હાજી દાઉદના સાસુ, ઇબ્રાહિમ, કરીમના દાદી તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-6-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાને વાડીવિસ્તાર, સાડાઉ ખાતે.

આણંદસર (મંજલ) : હાલે મુંબઈ કરશન પ્રેમજી ભાવાણી (ઉ.વ. 91) તે સ્વ. ગોમતીબેનના પતિ, નરોત્તમભાઇ, રાધાબેન પરષોત્તમ રંગાણી, કમળાબેન કિશોર વેલાણી, નીતિકાબેન ગૌતમ કેસરાણીના પિતા, મીનાબેન નરોત્તમ ભાવાણીના સસરા, સ્વ. સામજી પ્રેમજી ભાવાણી, સ્વ. ચૂનીલાલ પ્રેમજી ભાવાણી, સ્વ. મણિબેન મેઘજી ધોળુ, જાનીબેન રાજાભાઇ પોકારના ભાઇ, સ્વ. કાંતાબેન સામજી ભાવાણીના દિયર, કસ્તૂરબેન ચૂનીલાલ ભાવાણીના જેઠ તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-6-2025ના મંગળવારે સવારે 8.30થી 10.30 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, આણંદસર (મંજલ) ખાતે.

રતનપર-ખડીર (તા. ભચાઉ) : રાજીબાઈ કાંયાભાઈ વરચંદ (ઉ.વ. 98) તે હીરાભાઈ કાંયાભાઈ વરચંદ, ભીમાભાઈ કાંયાભાઈ વરચંદ, ખેંગારભાઈ કાંયાભાઈ વરચંદ, એલ. કે. વરચંદ (એડવોકેટ), પાંચાભાઈ કાંયાભાઈ વરચંદ, ભચીબેન ભીમાભાઈ ઢીલા (રાપર)ના માતા તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-6-2025ના સોમવારે સાંજે 4થી 7 આહીર સમાજવાડી, ભચાઉ-દુધઈ રોડ, ભચાઉ ખાતે.

થુમડી (તા. અબડાસા) : સુમરા મામદ આચાર (ઉ.વ. 65) તે આમદ આચાર, સિધિક આચારના ભાઇ, ઇસ્માઇલ, હાસમના પિતા, અબ્દુલકરીમ હાજી અલીમામદના બનેવી તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-6-2025ના મંગળવારે સવારે 10.30 વાગ્યે થુમડી મસ્જિદ ખાતે.

નાલાસોપારા (મુંબઇ) : મૂળ મુંદરાના કચ્છી ગુર્જર જૈન જિતેશ નાનાલાલ શાહ (ઉ.વ. 53) તે નાનાલાલ નાથાભાઈ શાહના પુત્ર, કિંજલના પતિ, ભાવિકના પિતા, શરદ નગીવનદાસ કોઠારીના જમાઈ, ચંદ્રકાંત, રાજેન્દ્ર, કુસુમ રજનીકાંત સંઘવી, વીરબાળા શૈલેશ મેહતા, મૃદુલા વિજય સંઘવી, શિલા નીતિન શાહ, વિણા સુનીલ મેહતાના નાના ભાઈ, સ્વ. ચેતના ચંદ્રકાંત શાહ, સ્વ. શિલ્પા રાજેન્દ્ર શાહના દિયર, મિતેષ ઠક્કરના બનેવી, પ્રીતિ સમીર શાહ, ભાવિકા રાકેશ સંઘવી, ચાર્મી અને કિન્નરીના કાકા તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. સંપર્ક : ભાવિક-98344 19590. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd