આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 24 : ઓપરેશન સિંદૂરે
વિશ્વને ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિનો મજબૂત સંદેશો આપ્યો છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું
હતું. વડા પ્રધાને કહ્યું હતું કે ભારતીયોને નુકસાન પહોંચાડનારાઓ 7 ભારતીયોનું લોહી વહાવનારા વિશ્વમાં કોઇ
જગ્યાએ સુરક્ષિત નથી એવું ભારતે સાબીત કર્યું છે. સુરક્ષા સંબંધી નિર્ણયો દેશહિતમાં
ક્યારે, કઇ રીતે, કેમ લેવા એ ભારત
જ નક્કી કરે છે. બે મહાન ભારતીય સપૂત મહાત્મા ગાંધી અને શ્રી નારાયણ ગુરૂ વચ્ચે ઐતિહાસિક
સંવાદની શતાબ્દિની ઉજવણીના અવસરે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાને
દેશની સુરક્ષા નીતિ કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે
અને વિદેશથી શસ્ત્રસરંજામની આયાતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અૉપરેશન સિંદૂરથી ભારતીય
સેનાએ સ્વદેશી શસ્ત્રોથી દુશ્મનને માત્ર બાવીસ મિનિટમાં જ આત્મસમર્પણ કરાવ્યું એ આની
સાબીતી છે. ભારતમાં નિર્મિત લશ્કરી અસ્ત્રશસ્ત્રને ટૂંક સમયમાં વૈશ્વિક માન્યતા મળશે
એવો ભરોસો વડા પ્રધાને વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની પ્રાસંગિકતા સાથે જોડીને મોદીએ
કહ્યું હતું કે શ્રી નારાયણ ગુરૂ અને મહાત્મા ગાંધી વચ્ચે સો વર્ષ પહેલા શિવગિરી મઠમાં
થયેલા સંવાદે દેશની સ્વતંત્રતાની ચળવળને નવી દિશા પ્રદાન કરી એટલું જ નહીં હજુએ વિકસિત
ભારત તરફની દેશની યાત્રાને પ્રેરણા આપી રહ્યો છે. ભારત સામે જ્યારે કોઇ પડકાર ઉભો થાય
છે ત્યારે દૂરંદેશી મહાનુભાવો દેશને માર્ગદર્શન આપતા રહે છે એ આપણા દેશનો ઇતિહાસ છે. શ્રી નારાયણ ગુરૂએ સામાજિક સમરસતાના ક્ષેત્રમાં
યોગદાન આપેલું એ આજે આપણા માટે પ્રેરણા છે તેથી જ અમારી સરકાર સમાજમાં વ્યાપ્ત અસમાનતાને
દૂર કરવાના અથાગ પ્રયાસો કરી રહી છે. મારા અંગત જીવનમાં પણ સામાજિક સમરસતા કે ગરીબ-વંચિતો
સંબંધી મોટા નિર્ણયો લેતી વખતે હું હંમેશા ગુરૂદેવને યાદ કરૂં છું, એમના વિચારો પરથી પ્રેરણા મળે છે, એમ મોદીએ કહ્યું હતું.
ગુરૂદેવના વિચારોનું મૂળ યોગ અને વેદાંત પર આધારિત હતું અને એવું માનતા કે અધ્યાત્મથી
જ સામાજિક સુધારણા પ્રત્યેક વ્યક્તિ સુધી પહાજી શકે છે. મોદીએ કહ્યું હતું કે ભારત
સરકાર વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંતને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માગે છે અને એટલે જ વન
વર્લ્ડ-વન હેલ્થ, વન સન-વન અર્થ-વન ગ્રીડ અને જી-20 સમિટમાં પણ વન અર્થ-વન ફેમિલી-વન
ફ્યુચરનું સૂત્ર આપેલું. 1925ની 12મી માર્ચે મહાત્મા ગાંધી શિવગિરી મઠની મુલાકાતે
ગયા હતા ત્યારે શ્રી નારાયણ ગુરૂ અને બાપુ વચ્ચે સત્યાગ્રહ, ધાર્મિક બાબતો, અહિંસા,
અસ્પૃશ્યતા, મુક્તિ અને વંચિતો, ગરીબોના ઉત્થાન જેવા એ સમયના સંવેદનશીલ મુદે સંવાદ થયો હતો.