• બુધવાર, 25 જૂન, 2025

અદાણી ગ્રુપ વિક્રમી રોકાણ માટે પ્રતિબદ્ધ

મુંદરા, તા. 24 : અદાણી એન્ટરપ્રાઇઝિસની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મંગળવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સમૂહના મજબૂત પ્રદર્શન પર ભાર મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રીય મિશનને પુન:પુષ્ટિ આપતા ભારતમાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિક્રમી મૂડી રોકાણોનું વચન આપ્યું હતું. શ્રી અદાણીએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના સશસ્ત્ર દળોએ દાખવેલી હિંમત બિરદાવી તેમજ એર ઇન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. સાથે વૈશ્વિક અવરોધો વિશે ધ્યાન દોરતાં તેમણે મધ્યપૂર્વમાં ભૂરાજકીય અસ્થિરતાથી લઈને પશ્ચિમમાં આર્થિક અશાંતિ સુધીના પડકારોની  વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારત દૂરંદેશી નીતિનિર્માણ અને બોલ્ડ રાષ્ટ્રીય ઉદ્દેશ્યને કારણે વિકાસની દીવાદાંડી તરીકે ઊભરી આવ્યું છે. ભારત અબજો સપનાનો ઇતિહાસ લખી રહ્યું છે. યુએસ નિયમનકારી પૂછપરછ સહિત ચકાસણીથી ચિહ્નિત વર્ષમાં અદાણીએ જૂથ દ્વારા વૈશ્વિક ધોરણોનું પાલન કરવાની તેમણે  પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપમાંથી કોઈ પર Bિઍઙઅનું ઉલ્લંઘન કરવાનો કે ન્યાયમાં અવરોધ ઊભો કરી કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, અદાણી જૂથે હાલમાં અનેક વ્યવસાયિક સીમાચિહ્નો સર કર્યાં છે, જેમાં અદાણી પાવર 100 અબજ યુનિટથી વધુનું ઉત્પાદન, અદાણી ગ્રીન ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, અદાણી પોર્ટ્સ 450 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરે છે વિગેરેનો સમાવેશ થાય છે. શ્રી અદાણીએ કહ્યું કે, સૂર્યપ્રકાશમાં નેતૃત્વ કરવું સરળ છે, પરંતુ સાચું નેતૃત્વ કટોકટીનો સામનો કરીને રચાય છે. અમારો વારસો અમે બનાવેલા ટાવર્સની ઊંચાઈમાં નહીં, પરંતુ અમે જે માન્યતાઓનો અમલ કરીએ છીએ તેની ઊંચાઈમાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd