• બુધવાર, 25 જૂન, 2025

હરિઓમ પરિવાર હંમેશાં ઉત્સવપ્રેમી

મુંબઇ, તા. 24 : મુંબઇના ઘાટકોપર ખાતે કચ્છી કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ તથા હરિઓમ પરિવાર દ્વારા કચ્છી સંત પૂ. હરિદાસજી મહારાજની  હાજરીમાં  વાલરામજી મહારાજનો 32મો લીલા મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. ઓધવપ્રેમીની હાજરીમાં સાંજે વાલરામ મહિલા મંડળ દ્વારા ભજન સાથે શરૂઆત થઈ ત્યારબાદ સંધ્યાપાઠ સાથે ચાલીસાના પાઠ પછી સંત હરિદાસજી મહારાજના આશીર્વચન સાથે ભજન-સત્સંગ- ગઝલ-ઓધવરાસ એવમ ઓધવપ્રસાદની સર્વેએ મોજ માણી હતી. પાટીદાર સમાજવાડી જલ્દીથી નૂતનીકરણ થશે એવા આશીર્વાદ  સંતે આપ્યા હતા. પાટીદાર સમાજના પ્રમુખ કાંતિભાઈ તથા એમની ટીમ હાજર રહી હતી. કચ્છી આશ્રમના હરિદ્વાર ટ્રસ્ટી રવિભાઈ કેસરા પટેલે હાજરી આપી હતી. આપણો સમાજ ઉત્સવપ્રેમી છે. આપણને સમાજને ધાર્મિક કાર્યો ઉત્સવ રૂપે આપવા જોઈએ તેવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં આગામી 10 જુલાઇના  હરિદાસજી મહારાજની હાજરીમાં  મુંબઇ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઊજવાશે તેવી જાહેરાત કરાઇ હતી. હજારોની સંખ્યામાં ભાવિકો ઊમટશે તેવું ટ્રસ્ટીઓએ કહ્યું હતું. ગુરુ ભગવાન વાલરામજીનો પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ વલસાડ ખાતે ઊજવાશે. 19/3/2026થી 25/3/2026 સુધી આ સાત દિવસ સનાતન માટે વિશેષ સંદેશો આપવામાં આવશે તેવું પણ જણાવાયું હતું.  વલસાડ ખાતે 33 કરોડના ખર્ચે આકાર લેતી ઓધવ ભવન વાડીનું ઉદ્ઘાટન પણ 22 માર્ચ 2026ના થશે જે વાડી વલસાડ હાઇવે ઉપર છે. સમસ્ત ભારતમાં ઓધવધામ બની ગયાં છે એમની સાથે સુંદર વાડી આકાર લઈ રહી છે. ઓધવધામો દ્વારા અનેકવિધ સત્કાર્યો થઈ રહ્યા છે. વિશેષ ઓધવધામો દ્વારા ચાલતાં કાર્યોની જાણકારી ટૂંક સમયમાં આપવાનો  કોલ અપાયો હતો. વાસી એપીએમસી માર્કેટ, વાસી સેક્ટર 26, વલસાડ -વાપી -ઉમરગામ -જામનગર જ્યાં જ્યાં પણ ઓધવધામોએ આકાર લીધા છે ત્યાં વિશેષ કાર્ય થઈ રહ્યાં છે. કચ્છ કડવા પાટીદાર વાડી વગેરે વિકાસકામોની વિગતો હરિઓમ પરિવાર તરફથી આપવામાં આવી હતી.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd