મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 21 : નખત્રાણાની
ગંગા બજારમાં જ્યાં હનુમાનજીનું મંદિર છે, તેનાથી થોડે આગળ દેવકીનગર જતાં રસ્તા પાસે એક મોટું ગાબડું અકસ્માતને નોતરી
રહ્યું હોવાની સંભાવના છે. દેવકીનગર પાસેના આ ગાબડાને બારેક મહિના થયા સંબંધિતોએ નગરપાલિકાને
જાણ કરી હોવા છતાં તે પૂરાયું નથી. આ રસ્તે દુકાનો ઉપરાંત બે નગરના રહેવાસીઓ આ રસ્તે
અવરજવર કરે છે તો વાહનો પણ આ રસ્તે અવરજવર કરે છે. મોટી ઉંમરના વૃદ્ધોને પણ આ રસ્તે
ઘણી તકલીફ વેઠવી પડે છે તેવી ફરિયાદ ઉઠી છે. આ ગાબડાની આગળ અંજલી મોલ છે ત્યાં પણ રસ્તા
પર સિમેન્ટ ઉખડી જતા નાનો ખાડો પડી ગયો છે. આ રસ્તે ગાબડાના કારણે દ્વિચક્રી વાહનો
આડા પડી જવાના બનાવો બન્યા છે. તો રંજના લોજવાળી ગલીનો રસ્તો પણ ઉબડ-ખાબડ થઈ ગયો છે.
દેવકીનગર અહીંથી પણ જવાય છે. આ રસ્તો પણ અગવડતાવાળો છે એવું વેપારીઓ, રહેવાસીઓ જણાવી રહ્યા છે. આ અંગે નખત્રાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન કાંધાણીનો
સંપર્ક કરતા તેમણે આ બંને રસ્તાનું સ્થળ નિરીક્ષણ કરીને યોગ્ય કરવાનું કહ્યું હતું.