ભુજ, તા.24 : નખત્રાણા તાલુકાના નાની ખોંભડી
ગામે પવનચક્કીના વળતરના વિવાદને લઇને ટ્રેક્ટરથી વીજપોલ ખેંચી અને લંગર નાખી 29 પવનચક્કી બંધ કરાવી દેતાં કંપનીને
રૂા. 7,01,288નું નુકસાન કર્યાની ફરિયાદ
નોધાઇ છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદી રાજેશકુમાર તુલસીદાસ જોષીએ લખાવેલી ફરિયાદ
પ્રમાણે ગામના સીમ સર્વે નં. 135 પૈકી 8વાળી જમીનમાં આ બનાવ તા. 19-6થી 23-6 દરમ્યાન બન્યો હતો. વીસ વીન્ડ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર એલએલપીની 33 કેવીની વીજલાઈન
નીકળી હતી, જેનું વળતર આપવા છતાં વધુ
વળતરની માગણી કરી ઈલેક્ટ્રિક પોલના લાગેલા ત્રણ સ્ટે વાયર તોડી ટ્રેક્ટરથી લોખંડના
વીજ પોલને ખેંચીને, વાંકો વાળી ટ્રાન્સમિશન લાઈન પર લંગર નાખી
શોર્ટસર્કિટ કરાવ્યું હતું. ઉપરાંત કંપનીની 29 પવનચક્કી બંધ કરાવી રૂા. 7,01,288નું નુકાસાન પહોંચાડયું હતું. આથી ગામના માધુભા ઉર્ફે ભાધુભા
સામતજી આમર જાડેજા, સુલતાનાસિંહ
ઉર્ફે સુરતાનાસિંહ માધુભા આમર જાડેજા સામે વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે.