• બુધવાર, 21 મે, 2025

અવસાન નોંધ

ભુજ : ઉમેશચંદ્ર નર્મદાશંકર વૈદ્ય (ઉ.વ. 92) (નિવૃત્ત સિટી સર્વે) તે સ્વ. ગુણવંતીબેનના પતિ, સ્વ. મહેન્દ્રરાય, સ્વ. જશવંતરાય, સ્વ. જિતેન્દ્રરાય, સ્વ. વિદ્યાગૌરીબેન, સ્વ. ઇન્દિરાબેનના ભાઇ, પ્રતિમા, નીલેશ, કલ્પેશ (ગેટકો-ભુજ-બી)ના પિતા, શશાંકભાઇ મંકોડી, નેહા, હર્ષાના સસરા, મૌલેશ (એ.યુ. બેંક), પૂર્વેશ (ડી.સી.બી. બેંક), ખુશીના દાદા, વરૂણ, શ્રેયાના નાના, પૂર્વા, હીરલના દાદાજી, કિંજલ, અર્પિતના નાનાજી, ખ્યાનાના પરદાદા, નિહિતના પરનાના તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-5-2025ના શનિવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : લક્ષ્મીકાંત રતનશી ભાટિયા તે સ્વ. સરસ્વતી રતનશી કાકુભા ભાટિયાના પુત્ર, અવનીબેનના પતિ, રુદ્રના પિતા, ભાનુબેન ભગવાનદાસભાઈ  સંપટના ભાણેજ, રાધા સુરેશ સંગાઈ, કિશોરભાઈ, દિલીપભાઈ, ઉમેશભાઈના ભાઈ, મીનીબેન, સુનંદાબેન, રેખાબેનના  દિયર, સુધાબેન જિતેન્દ્રભાઈ વેદના જમાઈ, ચાંદની ચેતન પાલેજા, બંસી સ્નેહિલ કાજરિયા, શિવાંગીના બનેવી તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-5-2025ના સાંજે 5થી 6 જૂની લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. મણિબેન વીરગર ગોસ્વામી (ઉ.વ. 95) તે સ્વ. દેવગર તેજગરના પુત્રવધૂ, સ્વ. શંકરગર શંભુગરના પુત્રી, સ્વ. વીરગર દેવગરના પત્ની, સ્વ. દિલીપગર, સુરેશગર, જયશ્રીબેન રઘુનંદન મહતો (ભુજ), કાંતાબેન ખીમગર ગોસ્વામી (સામખિયાળી)ના માતા, સ્વ. જયાબેન, રવિનાબેનના સાસુ, લતા, પ્રકાશ, જાનકી, હાર્દિક, પૂજાના દાદી, હિતેશ, મિતેષ, દીપાલી, મિતા, ટીના, રાજા, શંભુ, વૈશાલીના નાની તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-5-2025ના શનિવારે સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, રામધૂનની  બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : ધનજી લાખા જોગી (ઉ.વ. 46) (જોગી સમાજ યુવા પ્રમુખ) તે લાખા અભા અને કાનબાઇના પુત્ર, મંજુબેનના પતિ, વિશાલ, જિગર, મનીષાના પિતા, શિવજી, નરસિંહ, બાબુ, જયાબેન, ભાવનાબેન, સીમાબેનના ભાઇ, પ્રેમજી, મહેશ, નવીનના સાળા, જયરામ, સંજય, અજય, અરૂણા, મીના, સંગીતા, પૂજા, પ્રિયાના કાકા, સાધના, ભક્તિના મોટાબાપા, દેવ, ઓમ, હેતવી, શાનવીના દાદા, દેવજી, હરજી, ઉમર, દામજી, અરજણ, રમેશ, સ્વ. જુમા, નાથાલાલ, નવીનના કાકાઇ ભાઇ, માવજી, વીરજી અને હીરબાઇ ભટી (માધાપર)ના જમાઇ, ભીખા ઉમર ડાભી (સામત્રા)ના વેવાઇ, રમેશ, રામ, ભરતના કાકાસસરા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. તા. 15-5-2025ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે ગૌપૂંછ પાણી, રાત્રે 10.30 સંતવાણી, સરપટ નાકા બહાર, જોગીવાસ, ભુજ ખાતે.

આદિપુર : મૂળ મોટી મઉં (તા. માંડવી)ના બાલકૃષ્ણ રમણીકલાલ બાપટ (ઉ.વ. 90) તે કસ્તૂરબેનના પતિ, દેવધર હીરજી મયારામના જમાઇ, મુકેશભાઇ, યોગેશભાઇ, સ્વ. હર્ષિદાબેન પંડયાના પિતા, મનીષાબેન, પ્રફુલ્લાબેન મુકેશભાઇ પંડયાના સસરા, રાજકુમાર, જય, હિમાલી, ધ્રુવિન, પૂજાના દાદા, પ્રતીક રાસ્તે, વિશ્વાબેન, કોમલબેન, પાર્થ આચાર્યના દાદાજી સસરા, વિધિસા, હિર્વ, જાન્યાના પરદાદા, દીક્ષિત, કપૂરી, પર્વ, આન્યાસના નાના તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-5-2025ના સાંજે 4.30થી 5.30 જલારામ મંદિરમાં, જલારામનગર, મેઘપર બોરીચી, તા. અંજાર ખાતે.

માંડવી : ભાટિયા કિષ્કિંધા (ઉ.વ. 70) તે કિરણ ગોકલગાંધીના પત્ની, પદમાબેન જયાસિંહના પુત્રવધૂ, જેઠમલ કજરિયાના પુત્રી, પૂર્ણિમા સૂરજકુમાર, ચૈતન્ય, આશા અરૂણના ભાભી, ધરમશીં, દમયંતી, સુરેન્દ્ર, પ્રફુલ્લ, દુલારી, વિનેશના બહેન તા. 7-5-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે)

નખત્રાણા : મૂળ કોરાવાળી નાની વિરાણી (તા. લખપત)ના જિતેન્દ્રકુમાર રતિલાલ દવે (જી.એમ.ડી.સી.-લિફરી) (ઉ.વ. 54) તે પન્નાબેન (આંગણવાડી સંચાલિકા)ના પતિ, સ્વ. સુમિત્રાબેન રતિલાલ દવેના પુત્ર, મહેન્દ્રકુમાર (નિવૃત્ત તલાટી), સ્વ. શારદાબેન નરેન્દ્રકુમાર રાવલ, વિમળાબેન રજનીકાંત રાવલ (બંને સિદ્ધપુર), નયનાબેન મહેન્દ્રકુમારના ભત્રીજા, વૈભવીબેન રાજકુમાર ચોથાણી (નખત્રાણા), પ્રાંચીબેનના પિતા, જીમ્મીબેન કુણાલભાઇ રાવલ (વડોદરા)ના કાકાઇ ભાઇ, દુર્વા, હીરવાના મામા, ગં.સ્વ. લીલાબેન મણિલાલ રાવલ (પાટણ)ના જમાઇ તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-5-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

મિરજાપર (તા. ભુજ) : વેલજીભાઇ કલ્યાણભાઇ વરસાણી (ઉ.વ. 74) તે વિનોદભાઇ, સ્વ. દેવજીભાઇ, દેવશીભાઇ (નીનીભાઇ કોન્ટ્રાક્ટર), રાજેશભાઇ, પરેશભાઇના પિતા તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-5-2025ના શનિવારે સવારે 7.30થી 8.30 ભાઇઓનું સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું નિવાસસ્થાન મિરજાપર ખાતે.

સુખપર (તા. ભુજ) : રાયમા જુસબ ઇબ્રાહિમ (ઉ.વ. 59) તે અઝીમ, સલીમના મોટા ભાઇ, મ. તૌસીફ (નિઝામ)ના પિતા, હસન તૌસીફના દાદા, મ. અબ્દુલ ઓસમાણ (અંજાર)ના જમાઇ, રમજુ ઇસ્માઇલ, અઝીઝ જુસબના સાળા, સકલેન અઝીઝ, યાસીન સલીમના મોટાબાપા, મ. ઇમ્તિયાઝ કાસમ, સાહબાજ અઝીઝના સસરા તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 9, 10, 11-5- 2025 (ત્રણ દિવસ) નિવાસસ્થાન મફતનગર, જૂનાવાસ, સુખપર ખાતે.

દહીંસરા (તા. ભુજ) : નર્મદાબેન શાંતિલાલ જોષી તે સ્વ. શાંતિલાલ દલપતરામના પત્ની, સ્વ. શિવજીભાઇના નાના ભાઇ (વાડાસર)ના પત્ની, સ્વ. મણિશંકરભાઇ (લુડવા), સ્વ. જેરામભાઇ (દહીંસરા), સ્વ. મીઠાબેન (મુંબઇ), સ્વ. મુલાબેન (નાના અંગિયા)ના ભાભી, સ્વ. નાનજી પરમાર (રેહા)ના પુત્રી, સ્વ. શંભુભાઇ, મહેન્દ્રભાઇ, દિનેશભાઇ, વસંતભાઇ, જેન્તીભાઇ, લાભશંકરભાઇ, ભરતભાઇ, અરવિંદભાઇના કાકી તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-5-2025ના શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

માનકૂવા (તા. ભુજ)  મૂળ ધાણેટીના : ગં.સ્વ. હીરાબેન મગનલાલ બારમેડા (ઉ.વ.80) તે સ્વ. મગનલાલ મણીલાલ બારમેડાના પત્ની, સ્વ. દયારામભાઈ (માંડવી)ના પુત્રી, પ્રજ્ઞાબેન, શીતલબેન (ભુજ), પૂર્વીબેન (જામનગર), સ્વ. મયૂર, સ્વ. એકતાબેનના માતા, દીપકભાઈ ગુજરાતી, સંજીવ બુદ્ધભટ્ટી (ભુજ), કલ્પેશભાઈ પરમાર (જામનગર)ના સાસુ, સાગર, મયંક, રાજ, ટીશા, નંદની, હિમાંશુના નાની, મીનાક્ષી, રિયાના નાની સાસુ, સ્વ. મણિલાલ ડુંગરશી બારમેડાના પુત્રવધૂ, સ્વ. કાન્તાબને બેચરદાસના દેરાણી, સ્વ. લીલાવંતીબેન અમૃતલાલ, સ્વ. જયાબેન ચમનલાલ, સ્વ. ભાગ્યવંતીબેન હરિલાલ, કમળાબેન દામજીભાઈ, સરોજબેન રામદાસભાઈ, જયશ્રીબેન જયંતીભાઈ, સ્વ. જમનાદાસ (સીતારામ બાપુ), રેખાબેન કિરણભાઈ, સ્વ. વસંતાબેન નારાયણદાસ સોલંકી, સાવિત્રીબેન સુરેશભાઈ સોલંકીના ભાભી, સમીર, નિતેશ, કલ્પનાબેનના કાકી, નીલેશ, પંકજ, તરુણા, જગદીશ, પ્રીતિ, કાજલ, નરેશ, મનીષ, કોકીલા, સ્વ. હીરલ, પૂનમ, દિપેશ, કાજલ, પ્રકાશ આદિત્ય, રાધિકા, પ્રશાંત કંચનના મોટા બા, સ્વ. ગંગારામ, સ્વ. અમૃતલાલ, સ્વ. દિવાળીબેન, ગં.સ્વ. ભાગ્યંતીબેન, નૈના કાંતિલાલ, જયંતીલાલ, સ્વ. પોપટલાલના મોટા બેન તા.8/5/2025ના અવસાન પામ્યા છે પ્રાર્થનાસભા બન્ને પક્ષની સંયુક્ત તા. 10/5/2025, શનિવાર, સાંજે 4.30થી 5.30 કલાકે લેવા પટેલ સમાજવાડી, કાંધાવાડી, જૂનાવાસ માનકૂવા ખાતે. 

રતનાલ (તા.અંજાર) : પરમાબેન કાનજીભાઈ રવાભાઈ વરચંદ (પટેલ) (ઉ.વ. 68) તે સ્વ. રવાભાઈ તેજાભાઈ વરચંદ (પટેલ)ના પુત્રવધૂ, સ્વ. કાનજીભાઈના પત્ની, સ્વ. રામજીભાઈ દાનાભાઈ છાંગા (સામરાણી)ના પુત્રીસ્વ. રામજીભાઈ રવાભાઈ વરચંદ, સ્વ. હીરાભાઈ રવાભાઈ વરચંદ, સ્વ.ધુલાભાઈ રવાભાઈ વરચંદના નાનાભાઈના પત્ની, રણછોડભાઈ, રાજેશભાઈ, ગોમતીબેન રણછોડભાઈ માતા, મણીબેન મકનજીભાઈ છાંગા, ભક્તિબેન મકનજીભાઈ માતા, રસિલાબેન રમેશભાઈ છાંગાના માતા, સ્વ. શામજીભાઈ રામજીભાઈ વરચંદ, કાનજીભાઈ હીરાભાઈ વરચંદ, કાનજીભાઈ રામજીભાઈ વરચંદ, અરજણભાઈ હીરાભાઈ, ભગુભાઇ હીરાભાઈ, ત્રિકમભાઈ હીરાભાઈ, વેલજીભાઈ રામજીભાઈ, દેવજીભાઈ હીરાભાઈ (પ્રમુખ, ક્ચ્છ જિલ્લા ભાજપ), રણછોડભાઈ ધુલાભાઈ વરચંદ (આર.ડી), રાજેશભાઈ ધુલાભાઈ વરચંદના કાકી, નંદલાલ રણછોડભાઈ, ઈશાન રાજેશભાઈના દાદી. તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, ધાણેટી રોડ, પાણીના ટાંકાની બાજુમાં, રતનાલ ખાતે.  

દરશડી (તા. માંડવી) : મૂળ ભુજ નિર્મળાબેન (શાંતાબેન) નાનાલાલ ઠક્કર (ઉ.વ. 81) તે સ્વ. નાનાલાલ શિવજી ચોથાણીના પત્ની, સ્વ. લક્ષ્મીદાસ મૂળજી (ભાડિયા)ના પુત્રી, સ્વ. વિશનજીભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. બબીબેન, ગં.સ્વ. મણીબેન, ગં.સ્વ. લીલાવંતીબેન, સ્વ. કસ્તુરબેનના બહેન, મીનાબેનના માતા, જયેશભાઈના સાસુ, વિશાલ, ઝલક, પ્રિયાના નાની, કિંજલના નાની સાસુ, દયુમનના પરનાની તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-5-2025ના શુક્રવારે સાંજે 4થી 5 સતપંથ સમાજવાડી (મોરા ફળીયું) દરશડી ખાતે.

લક્ષ્મીપર-તરા (તા. નખત્રાણા) : હાલે નાશિક ભવાનજી કાનજી પોકાર (ઉ.વ. 71) તે સવિતાબેનના પતિ, પ્રકાશ, ભરત, ભૂમિબેન (મુંબઇ)ના પિતા, સ્વ. કાનજી મેઘજી પોકારના પુત્ર, સ્વ. ધનજીભાઇ (મુંબઇ), બ્રિજેશભાઇ, ધરમચંદભાઇ (કોલકાતા), દયારામભાઇ (હૈદરાબાદ), હિંમતભાઇ (અમદાવાદ), મણિબેન (નાશિક)ના ભાઇ, ભાવનાબેન, વર્ષાબેન, દિનેશભાઇના સસરા, નિયતિ, ઉર્વી, ધ્યાની, પ્રવિત્રના દાદા, હર્ષદ, હિતેષના કાકા, પ્રિતમ, કિશન, કેતન, ઉમેશના મોટાબાપુ, બાબુલાલ મેઘજી પોકારના ભત્રીજા, સ્વ. રામજી સામજી માકાણી (કલ્યાણપર-મંજલ)ના જમાઇ, સ્વ. ગોપાલભાઇ, અરજણભાઇ (નાશિક)ના બનેવી તા. 7-5-2025ના નાશિક ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 10-5-2025ના શનિવારે સવારે 8થી 10.30 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી ખાતે.

વડવા કાંયા (તા. નખત્રાણા) : ખીમજીભાઇ ડોસા (ઉ.વ. 70) તે ભચીબાઇના પતિ, હીરજીભાઇ ડોસા (જિયાપર)ના જમાઇ, સ્વ. માડણભાઇ (સણોસરા), પરબતભાઇ (જિયાપર)ના બનેવી, કાંતિભાઇ (વડવા), મંજુબાઇ (સાંયરા), સવિતાબેન (દયાપર)ના પિતા, સ્વ. હીરજીભાઇ (ભુજ), સ્વ. મીણાબેન(શેરડી) , કાન્તાબેન (વિગોડી), કુંવરબાઇ (નેત્રા), ઉમરબાઇ (કોટડા), ભાણબાઇ (અંગિયા)ના ભાઇ, રમેશ, પ્રવીણ, પારૂબેન, વિનિતાબેન, જવેરબેન, કંચનબેનના કાકા, અજય, ચાંદની, કાજલ, નયના, કલ્પના, શિવ, માહી, દિત્યા, આરાધ્યા, પ્રિયંકા, રાજ, જયશ્રી, સુનીલના દાદા તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 9-5-2025ના શુક્રવારે રાત્રે અને તા. 10-5-2025ના શનિવારે ઘડાઢોળ નિવાસસ્થાન વડવા કાંયા ખાતે.

નાન્દ્રા (તા. અબડાસા) : સોઢા રામબા દિપસંગજી (ઉ.વ. 92) તે ગુમાનાસિંહ, જુવાનાસિંહના માતા, ભરતાસિંહ, સ્વ. કિરીટાસિંહ, દૈવતાસિંહ, કરશનાસિંહના ભાભુ, બળદેવાસિંહ,નરપતાસિંહ, પૃથ્વીરાજાસિંહના દાદી તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. બેસણુ 12 દિવસ નિવાસસ્થાને નાન્દ્રા ખાતે.

રાપર : ખત્રી હાજી અબ્દુલરહેમાન (ઇદુબાપા) ઓસમાણ (ઉ.વ. 90) તે મ. ઇકબાલહુશેન, યુનુસ, અબ્દુલગફુરના પિતા તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-5- 2025ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન ડોડિયાવાસ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd