વાયોર, તા. 1 : અબડાસાના ગરડા પંથક વિસ્તારના
રામવાડા તીર્થધામથી નાની બેર ગામે વાગોઠ 66 કેવી સબ ડિવિઝનમાંથી ફિડરમાંથી બે વર્ષથી થાંભલા ઊભા થયા છે, પરંતુ તારનું કામ હજુ સુધી ન થયું હોવાનું સ્થાનિક
અગ્રણી અનુભા જાડેજા અને નાની બેરના હાજી હારૂન હાલેપોત્રા દ્વારા જણાવાયું હતું. નલિયા-નખત્રાણા
વિભાગની પીજીવીસીએલ કચેરીમાં આ અંગે અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં
જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ ઉકેલ ન આવ્યો હોવાની ફરિયાદ કરાઈ હતી તેમજ આગામી દિવસોમાં
તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ નહીં આવે, તો નલિયા પીજીવીસીએલ
કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે જશે તેવી ચીમકી અપાઈ હતી.