મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 19 : શહેરોની સાથે
ગ્રામ્ય વિસ્તારોમાં પાકા છતવાળાં મકાનો બનતા હવે વરસાદ પૂર્વે નળિયા સંચારની પ્રથમ
લુપ્ત થવાના આરે છે, ત્યારે એક
બે જૂની સદીનાં મકાનમાં દેશી નળિયાની સંચાર કામગીરી હાથ ધરાઈ રહી છે. એક વખતમાં નળિયાવાળા મકાનોમાં ચોમાસાની ઋતુ પહેલાં નળિયા
સંચાર માટે કારીગરોને ઘરમાં પાણી ન પ્રવેશે તે માટે વર્ષમાં એક વખત આ પ્રક્રિયા કરવામાં
આવતી. દેશી નળિયાવાળાં મકાનોમાં મોભાર, નળિયા તૂટેલા હોય, તો
બદલવા, જે નળિયામાંથી નેવા વાટે પાણી ઉતરે તે નળિયામાં કચરો સાફ
કરવો વિ. કામગીરી કરવામાં આવતી. ચોમાસાં પૂર્વે ઘરે-ઘરે નળિયા સંચાર કરતા કારીગરો જોવા
મળતા. કારીગરોને પુરતું કામ ન મળતા અન્ય ધંધાઓ
તરફ વળ્યા છે. ત્યારે અમુક એકલદોકલ જૂની સદીના મકાનમાં નળિયા સંચાર કામગીરી થતી જોવા મળી હતી. આવનારી પેઢી કદાચ
તસવીરો જોઈને પૂછશે કે આ સંચાર એટલે શું તો નવાઈ નહીં.