નવી દિલ્હી, તા.19 : ઈરાન-ઈઝરાયલ
યુદ્ધમાં ફસાઈ ગયેલા વિદ્યાર્થીઓને સલામત પાછા લાવવા ભારત સરકારે આદરેલાં ઓપરેશન સિંધુ
હેઠળ ઈરાનની ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાં ભણતા 110 ભારતીય છાત્ર સુરક્ષિત પાછા પહોંચી આવ્યા છે. દિલ્હી પહોંચ્યા
પછી છાત્રોએ કહ્યું હતું કે, ઈરાનમાં
હાલત દિવસો દિવસ ખરાબ થતી જાય છે. ખાસ કરીને તેહરાનમાં સ્થિતિ ઘણી ખરાબ છે. ગત મંગળવારે
અર્મેનિયા પહોંચેલા છાત્રોને કતારના માર્ગેથી ભારત લવાયા હતા. ઈન્ડિગોની ઉડાન યેરેવન
એરપોર્ટથી દોહા ગઈ હતી. ત્યારબાદ, બીજી ઉડાનમાં બેસાડીને દોહાથી
દિલ્હીનાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર છાત્રો લવાયા હતા. ઈરાનમાં 1500 છાત્ર સહિત લગભગ 10 હજાર ભારતીય ફસાયેલા છે.