નખત્રાણા, તા. 19 : તાલુકાના દેશલપર (ગુંતલી) ગામનાં
પાદરે આવેલા જંગલેશ્વર મહાદેવ તરફ જવાના માર્ગે ગત વર્ષે બનેલો નવો પુલ પ્રથમ વરસાદે
જ તૂટી જતા કોન્ટ્રેક્ટરોનાં નબળા કામની પોલ ખુલી થઈ હોવાની ફરિયાદ ઊઠી હતી.દેશલપરના
જાગૃત નાગરિક જગદીશ દવેના જણાવ્યા મુજબ જંગલેશ્વર મહાદેવ મંદિરે દૈનિક દર્શન માટે જતા
શ્રદ્ધાળુઓ તથા રાહદારીઓ માટે રસ્તાની સમસ્યા સર્જાઈ હતી. આ પુલ ગત વર્ષે પણ ભારે વરસાદના
કારણે તૂટી ગયો હતો. ફરીથી પુલનું કામ નબળું થતાં વાહનચાલકો પગપાળા અવરજવર કરતા હતા.
કામ ઈમરજન્સી ધોરણે હાથ ધરાય તેવી લોકોની માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રસ્તા કે અન્ય કોઈ સરકાર દ્વારા થતા વિકાસનાં
કામોનાં ખાતમુહૂર્તના પ્રત્યેક કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા
લોકોનું ધ્યાન દોરવામાં આવે છે કે, જે-તે વિસ્તારમાં થતાં કામો
કોન્ટ્રાક્ટરો પોતાના સ્વાર્થ માટે કરતા નબળા કામો મોટા ભાગે ટકાઉ થતાં નથી. તે માટે
સ્થાનિકે લોકો કામ સરકારના નહીં, પણ લોકોના પૈસાથી સરકાર દ્વારા
થતાં કામો પોતાના છે તેમ સમજી કામો ઉપર ધ્યાન
રાખે, તો કામ ટકાઉ થાય તેવી લાગણી વ્યક્ત થઈ હતી.