• શુક્રવાર, 20 જૂન, 2025

નર્મદાની લાઈનમાં ભંગાણ, બોર ફેલ થતાં ભચાઉમાં સર્જાઈ પેયજળની કટોકટી

ભચાઉ, તા. 19 : દાયકાઓથી પીવાનાં પાણીની તકલીફ ઊભી નથી થઈ તેવા ભચાઉ શહેરમાં નર્મદાની મુખ્ય લાઈનમાં પડેલા ભંગાણના કારણે નગરમાં પેયજળની કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ  સૂરજબારી -માળિયા વચ્ચે  નર્મદા યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે તેમજ સમાંતર ગુરુકૃપાનો 76 નંબરનો બોર  ફેલ થઈ ગયો હતો. આ બે કારણોસર નગરમાં પીવાનાં પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા પેયજળની સમસ્યા સર્જાઈ છે. નજીકના બોર ચાલુ કરાયા, પણ પાણી પીવાલાયક ન હોવાથી  બિનઉપયોગી બન્યા છે.   હાલ પેયજળની સર્જાયેલી સમસ્યાનાં કારણે પેયજળનો વેપલો  શરૂ થઈ ગયો છે. સાડા ત્રણસોથી ચારસોના  ભાવે નગરના રહેણાક મકાનોમાં  ટેન્કર પહોંચાડતા દેખાઈ રહ્યાં હતાં. નિયમ વિરુદ્ધ તરુણો આવા ટેન્કરો દોડાવતા નજરે પડયા હતા. ટેન્કરોમાં પાણીની ગુણવત્તા અંગે પણ સવાલો ખડા થયા હતા. આ અંગે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ  પેથાભાઈ રાઠોડનો સંપર્ક સાંધતાં તેમણે અડધા નગરમાં નર્મદાની પાઈપલાઈનથી પાણી અપાતું  હોવાથી પાણી કાપ આવ્યો  હોવાનું કહ્યું હતું.  દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવાના પ્રયાસ કરાયા હોવાનું કહ્યું હતું.  હાલ જલારામ સોસાયટી, ખાડા વિસ્તાર, સર્વોદય નગરમાં વિતરણ કરાયું છે. નર્મદાની લાઈનનું પાણી રામવાડી, ફૂલવાડી, વર્ધમાન નગરનો કોટ વિસ્તાર, અંબિકા નગરને અસર થઈ છે. પાણીની અછત સમયે મોટાપાયે ચાલતા  સર્વિસ સ્ટેશનોબાંધકામોહોટેલોમાં થતો  પાણીનો બગાડ અટકાવવો જોઈએ તેવી માંગ કરાઈ રહી છે. મોટર પણ ચાલુ કરી દેવાતી હોવાથી અનેક લોકોનાં ઘરમાં પાણી આવતું ન હોવાની સ્થિતિ સર્જાઈ છે. ફાજલ ટેન્કરો પાણી  વિતરણમા દોડાવવામાં આવે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd