નખત્રાણા, તા. 20 : કચ્છના છેવાડાના સરહદી અને
સૌથી મોટો ક્ષેત્રફળ વિસ્તાર ધરાવતા અબડાસા વિધાનસભા વિસ્તાર પાણી-રસ્તાના વિકાસ કામો
માટે રૂા. 1885.54 લાખની માતબર રકમ સરકારના સિંચાઈ
વિભાગ તથા માર્ગ-મકાન વિભાગ દ્વારા મંજૂર થતાં કામોના પ્રારંભ માટે ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ
જાડેજા દ્વારા અબડાસાના નલિયા, બાંડિયા,
ઉત્સીયા, કુવાપદ્ધર, ભારાપર,
પૈયા, બાલાપર, નાની સિંચાઈ
રસ્તા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ વધુ વિકાસ ગતીએ જનજાગૃતિ
રાખવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે પાણી, રસ્તા,
શિક્ષણ, આરોગ્ય, ખેતી,
પશુપાલનના હેતુલક્ષી વિકાસથી તાલુકાને સમૃદ્ધ બનાવવા ખૂબ પ્રયત્નો કર્યા
છે અને વધુ વિકાસલક્ષી કામો કરાવવા કોઈ કમી રખાશે નહીં. સરકારની ઉદાસીતિથી વિકાસ કામોની
દૃષ્ટીએ અબડાસા નંબર વન બનશે. ભાજપ આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં તા. પં. પ્રમુખ
મહાવીરસિંહ જાડેજા, હર્ષરાજસિંહ જાડેજા, ભા. ભા. પ્રમુખ જયદીપસિંહ જાડેજા, ગોપાલદાન ગઢવી,
જયસુખભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ તા. પં.), હરિસિંહ
રાઠોડ (મહામંત્રી, ન. તા. ભાજપ)એ પોતાના વકતવ્યમાં નખાત્રણા,
અબડાસા, લખપત તાલુકાના અંતરિયાળ ગામો સુધી સરકારની
અનેક વિધ વિકાસ યોજનાનો લાભ પહોંચાડવા શ્રી જાડેજાના પ્રયત્નો થકી નાનામાં નાની વ્યક્તિને
પણ વિકાસના લાભો મળ્યા હોવાનું અને વધુ વિકાસ માટે જાગૃત રહેવા અનુરોધ કરાયો હતો.કાનજીભાઈ
ગઢવી, મેહુલસિંહ અડાસા, મસરૂભાઈ રબારી,
વિનયભાઈ ગામના સરપંચો, અગ્રણીઓ, પાર્ટીના કાર્યકરો, ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા.