• બુધવાર, 25 જૂન, 2025

ભુજના ચકચારી હુમલા કેસમાં ચાર્જશીટ બાદ પણ આરોપીના જામીન નકારાયા

ભુજ, તા. 24 : શહેરમાં જ્યુબિલી મેદાનની બહાર થાર જીપકારમાં તીક્ષ્ણ હથિયારો સાથે આવી યોગેન્દ્રસિંહ ગુલાબસિંહ સોઢા ઉપર જીવલેણ હુમલો થવાના કેસમાં આરોપી જુવાનસિંહ બનેસિંહ સોઢાની જામીન અરજી ચાર્જશીટ બાદ પણ જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. આ અગાઉ ચાર્જશીટ પહેલાં આ આરોપીની જામીન અરજી અધિક જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. દરમ્યાન કેસમાં ચાર્જશીટ બાદ ફરી સેશન્સ અદાલત સમક્ષ જામીન અરજી મુકાઈ હતી, જેને કેસની ગંભીરતા, સંજોગો ન બદલવા સહિતના કારણો કેન્દ્રમાં રાખી નામંજૂર કરાઈ હતી. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ પી.વી. વાણિયા અને ફરિયાદ પક્ષ તરફથી અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા, એચ.કે. ગઢવી અને એસ.એસ. ગઢવી રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd