મુંબઈ, તા. 3 : શ્રીલંકા વિરુદ્ધની બે ટેસ્ટની
શ્રેણીની ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે બીસીસીઆઇએ સુભાદીપ ઘોષની નિયુક્તિ કરી છે.
તેણે ટી. દિલીપની જગ્યા લીધી છે. સુભાદીપ ઘોષ આ પહેલા આસામ ટીમના કોચ રહી ચૂક્યા છે.
આ ઉપરાંત 2023માં બે વર્ષ સુધી ભારતીય મહિલા
ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘોષે આસામ અને રેલવે
ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ પ્રથમ શ્રેણીના 17 અને લિસ્ટ એ ક્રિકેટના 17 મેચ રમ્યા છે. બીસીસીઆઇએ હાલ
ફક્ત શ્રીલંકા પ્રવાસ પૂરતી જ સુભાદીપ ઘોષની ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્તિ કરી છે. ટી.
દિલીપે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ફિલ્ડિંગ કોચની જવાબદારી છોડી હતી. તેનો કરાર સમાપ્ત થયો
હતો.