• મંગળવાર, 17 જૂન, 2025

સ્પિનના દાવપેચ શીખવા કુલદીપ રવીન્દ્ર જાડેજાની સતત સાથે

લીડસ, તા. 16 : ચાઇનામેન બોલર કુલદીપ યાદવ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની શ્રેણી અગાઉ સાથી ખેલાડી અને અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજા સાથે ખાસ્સો સમય પસાર કરી રહ્યો છે. કુલદીપ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઇંગ્લેન્ડમાં માત્ર એક ટેસ્ટ મેચ રમ્યો છે. જે લોર્ડસમાં 2018માં રમાઈ હતી. તેણે એ મેચમાં 44 ઓવર ફેંકી હતી અને એક પણ વિકેટ મળી ન હતી. તેના નામે 13 ટેસ્ટમાં 37.3ની સ્ટ્રાઇકરેટથી પ6 વિકેટ છે, જે ટેસ્ટ ઇતિહાસમાં કોઇ પણ સ્પિનરથી સારી સ્ટ્રાઇકરેટ છે. ઇંગ્લેન્ડ પ્રવાસની પાંચ મેચની શ્રેણીમાં ભારતીય ઇલેવનમાં રવીન્દ્ર જાડેજાની પસંદગી નિશ્ચિત માનવામાં આવે છે. જો બે સ્પિનરને સમાવાશે તો કુલદીપ યાદવને તક મળી  શકે છે. ઘરેલુ શ્રેણીમાં 0-1થી પાછળ રહ્યા બાદ ઇંગ્લેન્ડને 4-1થી ટીમ ઇન્ડિયાએ હાર આપી હતી. આ શ્રેણીમાં કુલદીપે 19 વિકેટ લીધી હતી. શુક્રવારથી શરૂ થતી પ્રથમ ટેસ્ટ પૂર્વે યાદવે જણાવ્યું કે, જાડેજા સાથે રમવું સન્માનની વાત છે. મેં જ્યારે ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેમણે ઘણી મદદ કરી હતી. હું મેદાન બહાર પણ જાડેજા સાથે ઘણો સમય પસાર કરું છું, જેથી મને રણનીતિ, ફિલ્ડિંગ ગોઠવણી જેવું ઘણું શીખવા મળે છે. ટીમ બસમાં પણ કુલદીપ જાડેજાની બાજુની સીટ પર બેસે છે. આ સીટ પહેલાં કપ્તાન રોહિત શર્માની હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd