• શનિવાર, 21 જૂન, 2025

મુંબઇથી ભુજ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડતાં મુસાફરો અટવાયા

ભુજ, તા. 20 : અમદાવાદમાં બનેલી ગોઝારી દુર્ઘટના પછી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડવા કે રદ થવાની ઘટના રોજેરોજ બની રહી છે, તેવામાં આજે મુંબઇથી ભુજ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટે તકનીકી કારણોસર તેના નિર્ધારિત સમયથી ચાર કલાક મોડી મુંબઇથી ઉડાન ભરતાં મુસાફરોને પારવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો ભુજથી પણ આ ફ્લાઇટે ચાર કલાકથી વધુ મોડી ઉડાન ભરતાં કનેક્ટિંગ ફ્લાઇટ માટે મુસાફરી કરતા પ્રવાસીઓની દોડધામ વધી ગઇ હતી. મુંબઇથી બપોરે 12.20 વાગ્યે ભુજ માટે ઉડાના ભરતી એર ઇન્ડિયાની ફ્લાઇટને તકનીકી ક્ષતિનાં કારણે ઉડાન ભરવામાં અવરોધ સર્જાયો હતો. કોઇમ્બતુરથી મુંબઇ આવેલાં વિમાનને બાદમાં મુંબઇ-ભુજ માટે મૂકવામાં આવતાં ચાર વાગ્યે આ ફ્લાઇટે ભુજ માટે ઉડાન ભરી હતી. આ વિમાન ભુજ વિમાની મથકે સાંજે સવા છ આસપાસ પહોંચ્યું હતું, તો ભુજથી બપોરે બે વાગ્યાના બદલે સાંજે સાત કલાકે આ વિમાન પરત મુંબઇ જવા રવાના થયું હતું. ચારથી પાંચ કલાક આ ફ્લાઇટ મોડી પડતાં કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરોને વિશેષ હાલાકી વેઠવી પડી હતી. મુંબઇ એરપોર્ટ પર અટવાયેલા કચ્છી પ્રવાસીઓએ એરપોર્ટ ઓથોરિટીના જવાબદારો સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd