• શનિવાર, 21 જૂન, 2025

આજે યોગમય બનશે ભારત

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 20 : શનિવાર, 21 જૂને, 11મા આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણી કેન્દ્રના સાંસ્કૃતિક અને પર્યટન મંત્રાલય દ્વારા દેશના 100 જાણીતા પ્રવાસન સ્થળો અને 50 સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા સ્થળોએ કરવામાં આવશે. આ વખતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ આયુષ મંત્રાલય દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાખવામાં આવ્યો છે. વિશાખાપટ્ટનમના આ ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ સહિત જાણીતી હસ્તિઓ ઉપસ્થિત રહેશે. સાંસ્કૃતિક અને પર્યટન પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાનના જોધપુરમાં ઐતિહાસિક મેહરાનગઢ કિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મંત્રાલય તરફથી જે સ્થળોએ યોગ દિવસની ઉજવણી થવાની છે, એની જાહેર કરેલી યાદી પ્રમાણે વિશ્વધરોહરમાં સમાવિષ્ટ આસામના ચરઇદેવ મેદાન, ગુજરાતના ધોળાવીરા અને રાણીની વાવ, કર્ણાટકના હમ્પી અને પટ્ટાડકાલ, મધ્યપ્રદેશમાં ખજૂરાહો અને સાંચીનો સ્તુપ, ઓડિસામાં કોણાર્ક સૂર્યમંદિર, મહારાષ્ટ્રમાં એલિફન્ટા કેવ્સ તેમજ તામિલનાડુમાં તાંજાવુરના બ્રિહદેશ્વર મંદિરમાં યોગ દિવસની ઉજવણી થશે.  આ ઉપરાંત હૈદરાબાદમાં ગોલકોન્ડા કિલ્લા અને સાલારજંગ મ્યુઝિયમ, દિલ્હીમાં હુમાયુની કબર, પુરાના કિલ્લા અને સફદરજંગ કબર, અમૃતસરમાં જલિયાંવાલા બાગ, રાજસ્થાનમાં ચિત્તોડગઢ અને કુંભલગઢ કિલ્લા, લદ્દાખમાં લેહ મહેલ, શ્રીનગરમાં પરિ મહેલ, કેરળમાં બેકલ ફોર્ટ તેમજ પશ્ચિમ બંગાળમાં હઝરદુરાઇ અને કૂચ બિહાર મહેલો સહિતના દેશના જાણીતા ઐતિહાસિક સ્થળોએ પણ યોગ દિવસ ઊજવાશે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd