• શનિવાર, 21 જૂન, 2025

મીઠાના ઢગલા પાલર પાણીને દૂષિત કરે છે

લાકડિયા, તા. 20 : `હાજીપીર-ડોરો માર્ગ પર ખડકાયેલા મીઠાના ઢગલા અકસ્માત નોતરશે' આ વિષયે પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહે જણાવ્યું હતું કે, મીઠાના ઢગલા માર્ગને અવરોધ કરી અકસ્માત નોતરે તે જ ભયસ્થાન નથી, પણ ઢોરો ગામના આગેવાન અતા ઉલ્લાખાન મુતવાના કેમિકલયુક્ત મીઠાથી ચોમાસા દરમિયાન વરસાદી પાલર પાણી દૂષિત થવાના ભયસ્થાનને પૂર્તિ આપું છું. બે દાયકા અગાઉ રાપર -આડેસરની આજુબાજુના રણમાંથી મીઠું ઉપાડનાર દ્વારા થતા ઢગલા વરસાદી પાણીથી ભીંજાય, તેના રેલા જમીનમાં ઊતર્યે ગામ અને સીમ તળાવોમાં એકત્રિત થતાં વરસાદી પાણી ખારા થવાની માત્રા વધતાં આડેસરના યુવકોના મુરલીધર યુવક મંડળ દ્વારા હાઇકોર્ટમાં રીટ પિટિશન થઇ હતી. હાઇકોર્ટ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે જવાની માર્ગર્શિતાએ આ યુવાનો ગાંધીનગરમાં આ વિસ્તારમાં ધારાસભ્યને નાતે મને મળી રાજ્ય પોલ્યુશન બોર્ડમાં તેમની અરજી દાખલ થતાં સંબંધિત રણમાંથી મીઠું લાવી આડેસર રેલવે સ્ટેશન નજીક તેમજ આયોડિઝેશન પ્લાન્ટની ખુલ્લી જગ્યામાં મીઠાના ઢગલા કરનાર સામે પગલાં લેવાની કારણદર્શક નોટિસ અપાઇ હતી. અંદાજ સમિતિમાં આ પ્રશ્ને રજૂઆતે આજુબાજુનાં તળાવોના પાણી 15,000 ટી.ડી.એસ.થી ખારાશ વધવાની પૂર્તિએ મીઠું પ્રોસેસિંગ યુનિટોને કલોઝરની નોબત આવ્યે ગામના આગેવાનો, યુવક મંડળ અને ઔદ્યોગિક એકમો દ્વારા મીઠાંના ઢગલા ન કરવાની સહમતી થવી તેમજ ખપપૂરતું જ મીઠું લાવી તાડપત્રી પાથરી સ્ટેકિંગ થયે મીઠાના રજકણો પાણીમાં ભળતાં બંધ થયે બે-ત્રણ વર્ષમાં તળાવોનાં પાણી મૂળ સ્થિતિમાં પલાર પાણી એકત્ર કરતા / સાચવતા થયા હતા એમ તેમણે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd