• શનિવાર, 21 જૂન, 2025

કામદાર વિરોધીનીતિ સામે સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત

ગાંધીધામતા. 20 : કેન્દ્ર સરકારની મજૂરવિરોધી નીતિ સામે દીનદયાલ પોર્ટના પ્રશાસનિક ભવન પાસે ત્રણેય કામદાર સંગઠન દ્વારા એકતા સાથે  વિરોધ દિવસની  ઉજવણી અંતર્ગત સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરાયા હતા.  ઓલ ઈન્ડિયા પોર્ટ વર્કર ફેડરેશનના આદેશ અનુસાર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહાબંદર સત્તામંડળ બિલના કર્મચારીઓના હિતની વિરુદ્ધના વિભાગો દૂર કરવાડબલ્યુ.આર.સી. સમાધાનની કલમ નંબર 10.5 મુજબ  સ્ટેન્ડિંગ એક્સટેન્શનના મુદ્દાનું સમાધાન ઝડપી બનાવવા, બઢતી પામેલા કર્મચારીઓના  પગાર નક્કી કરવા, પી.એલ.આર. સમાધાન  ઉપર સહી-સિક્કા કરવાપેન્શનરના હિતની વિરુદ્ધના નાણાંબિલના વિભાગો રદ કરવા, ખાનગી બેન્કોમાં પોર્ટના સરપ્લસ ભંડોળનું રોકાણ બંધ કરવા, મહાબદરોની  હોસ્પિટલનું ખાનગીકરણ બંધ કરવા, સી.સી.એસ. નિયમોની વહેલી માન્યતા અચપવા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ. કંડલાના    પ્રમુખ એલ. સત્યનારાયણકંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ રાણાભાઈ વિસરિયા, કંડલા પોર્ટ વર્કર્સ યુનિયનના મહામંત્રી જયન નાયરે કામદારોને સંબોધન કર્યું હતું અને સરકારની મજૂરવિરોધી નીતિ સામે એકતા સાથે લડી લેવાની નેમ વ્યક્ત કરી હતી.  આ વેળાએ એચ.એમ.એસ. યુનિયનના ઉપપ્રમુખ જીવરાજ ભાંભી, મહેશ અખાણીલલીત વરિયાણી, સામજી કટુવા, જેઠાલાલ દેવરિયા, મુસા સાયચા, ભાસ્કર રાવ, કમલેશ બારોટ, વિપુલ ધુવા, જગદીશ મઢવી, ભરત કોટિયા, શ્યામ મૂર્તિ, જયદેવ ઝાલા, અનવર માંજોઠી, મનજી દાદુ, જયંતી રિવાલ, પ્રવીણ  ગઢવીદિલીપ મૂલચંદાની, પ્રદીપ કોચરપ્રદીપ ધુંવાસુંદર રાવ તેમજ પોર્ટના વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd