• શનિવાર, 21 જૂન, 2025

દરિયામાં વહી જતા પાણીને બચાવવા રબર ડેમ બનાવવાની શક્યતા ચકાસાશે

ભુજ, તા. 20 : જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ અબડાસા, લખપત, નખત્રાણા તથા ભુજ તાલુકાના વિવિધ ગામોમાં સિંચાઇ વિભાગ હસ્તક ચાલતા વિકાસ કામોનું જાત નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી હતી. આ તકે તેમણે ગુણવત્તા સાથે બોધપાઠથી બાવળીયાએ સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડયું હતું. મુલાકાત દરમ્યાન ગામ લોકોના પાણી વિતરણ અંગેના પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. માડવી ખાતે ઉપસ્થિત .... વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ ઇન્સ્ટીટયૂટ સાથે બેઠક કરીને જિલ્લાના 162 ગામનો પાણી અંગેનો સર્વે જલસંચયની સ્થિતિ, વોટર બજેટ, પાણીની શુદ્ધતા સહિતના મુદ્ઓને આવરી લેતું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. મંત્રીશ્રધીએ કચ્છમાં રબર ડેમ બનાવવાની શક્યતા ચકાસવા અધિકારીઓએ કહ્યું હતું. માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરૂધ્ધ દવે એ હાજર રહીને સંસ્થા દ્વારા પાણી, મહિલા ઉત્થાન, કૃષિ સહિતના મુદે સરકારના સહયોગથી થયેલા કામોની વિગતોથી મંત્રીને અવગત કર્યા હતા.  માંડવીમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ બને તેમજ વર્તમાન પીવાના પાણીના પ્રશ્નો બાબતે ધારાસભ્યેરજૂઆત કરી હતી. તેમણે નદીઓનું દરિયામાં વહી જતા પાણીને બચાવવા માટે રબર ડેમ બનાવવા અંગેની શક્યતા ચકાસવા સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. મંત્રીએ કોડાય તથા ભાનાડા પંપ હાઉસની મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ આપી હતી. તો શ્રી બાવડીયાએ. નલીયા ખાતેના પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનની જાત મુલાકાત લઈને અનાજનો જથ્થો, ખરીદી વગેરેની સમીક્ષા કરી અબડાસા તાલુકાના ભારાપરમાં નાની સિંચાઇ યોજનાના પ્રગતિ હેઠળના રિસ્ટોરેશનના ચાલુ કામોની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય પ્રદ્યુમ્નાસિંહ જાડેજાએ તાલુકામાં પાણીની સ્થિતિ તથા ડેમોની સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો.  ભારાપર નાની સિંચાઈ યોજના અંગેની વિગતો મેળવીને મંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી. ઉસ્તીયા ખાતે સર્ધન લીંક ફેઝ-2ના ચાલુ કામોની મુલાકાત લઇને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને કામની પ્રગતિ અંગે વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી. ભાડરા ખાતે પંચાયત સિંચાઈ વિભાગ હસ્તક ડેમના રિપેર તથા મેન્ટેન્સ વર્કના હ્યાત કામની મુલાકાત લઈને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે કામો પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. માતાના મઢ ખાતે કચ્છ ધણીયાણી મા આશાપુરાના ચરણોમાં શીશ નમાવીને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. માતાના મઢ ખાતે સિંચાઇ વિભાગ દ્વારા રીચાર્જ ટેન્કના કામોની મુલાકાત લીધી હતી. આ સાથે નખત્રાણા તાલુકાના મથલ, ઉમરાપર ખાતે નાની સિંચાઇ યોજનાના કામો તેમજ મકનપર ખાતે નોર્ધન લીંક ફેઝ-2ના ચાલુ કામોની કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરાસિંહ જાડેજા, તાલુકા પંચાયત ચેરમેન જયદેવાસિંહ જાડેજા, જયદીપાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો તથા વિવિધ ગામના સરપંચ લખપત તા.ભાજપ પ્રમુખ ગણપત મહારા વેશલજી તુંવર, મયુરસિંહ જાડેજા, હઠુભા સોઢા, જવાહર મારાજ લાલુભા સોઢા, ભગીરથસિંહ સોઢા, રમેશ જોશી, હરેશ વ્યાસ, નીતીન પટેલ, અનિરૂદ્ધસિંહ જાડેજા, મહેશ દેસાઇ, દેવુભા જાડેજા, હરિસિંહ રાઠોડ, જયસુખ પટેલ, વિરલ જોશી, શિવરાજ ગીલવા સહિત જોડાયા હતા. કોડાયમાં ટાકો પડી જતાં નવા સમ્પમાં. પાણી ભરવાનું આયોજન છે એ માટે જોડાણ કરાવી આપવાનું સૂચન કરાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd