ગાંધીધામ, તા. 6 : રાપર તાલુકાના કાનમેરનાર રણમાં
મીઠાની જમીન મુદે બંદુકના ભડાકે હત્યાના કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આ ઉપરાંત ભડકાઉ ભાષણના કેસમાં મૌલવીની જામીનની શરતોમાં ફેરફાર કરવાની અરજીને રદ કરવામાં આવી હતી. ભચાઉ તાલુકાના કાનમેરમાં પુર્વ આયોજીત કાવત્રુ રચીને બંદુકના ભડાકે હત્યા
કરાઈ હતી. આ મામલે 21 આરોપીછઓ સામે
ફરીયાદ નોંધાવાઈ હતી. આ કેસમાં આરોપી દેવા કરશન ડોડીયાએ જામીન અરજી કરી હતી. બન્ને
પક્ષની દલીલો સાંભળીને જજ બે.એલ ચોઈથાણીએ જામીન
અરજી ફગાવી દીધી હતી. મુંબઈમાં રહેતા મૌલાના સલમાન અઝહરી ઉર્ફે મુફિત મહંમદ સલમાન અઝહરી સામે સામખીયાળી પોલીસ
મથકે ભડકાઉ ભાષણ મામલે સામખીયાળી પોલીસ મથકે
ફરીયાદ નોંધાવાઈ હતી. અરજદાર દ્વારા
જામીનની શરતોમાં ફેરફાર કરવા માટે શરત રદ કરવા
અરજી કરી હતી. આ કેસમાં સરકાર તરફે આરોપી સામે દેશમાં ગુજરાત સહીતના રાજયોમાં દાખલ થયેલા ગંભીર 12 જેટલા ગુના દાખલ થયા હોવાની
દલીલ કરી હતી. બન્ને પક્ષની દલીલો સાંભળી ભચાઉ કોર્ટે
શરતો રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.
બન્ને કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ડી.એસ.
જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.