• શનિવાર, 07 જૂન, 2025

દેશમાં સંક્રમિતો પાંચ હજારને પાર

નવી દિલ્હી, તા. 6 : સાવધાન નહીં રહીએ તો સ્થિતિ ગંભીર બની શકે છે, તેવી ચિંતા કરાવતાં કોરોનાનું સંક્રમણ ભારત દેશમાં પણ વધી રહ્યું છે. દેશમાં સક્રિય કેસોનો આંક પાંચ હજારને પાર કરી ગયો છે. છેલ્લા 20 દિવસના ગાળામાં સંક્રમિતોની સંખ્યામાં 58 ગણો વધારો થયો છે. દેશમાં 16મી મેના 93 સક્રિય કેસ હતા અને અત્યારે એ આંક 5364 પર પહોંચી ગયો છે. દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂકેલા કાળમુખા કોરોનાના સંક્રમણથી 55 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે. છેલ્લા 15 દિવસમાં 15 સંક્રમિતોનાં મોત થઈ ગયાં છે. દિલ્હીમાં એક પાંચ મહિનાનાં બાળક સહિત બે સંક્રમિતે જીવ ખોયો હતો. કેરળમાં સૌથી વધુ 1679 અને મહારાષ્ટ્રમાં સાડા પાંચસોથી વધુ સક્રિય કેસ છે. ત્યારે આરોગ્ય મંત્રાલયે લોકોને ગભરાયા વિના સ્વસ્થતાપૂર્વક સતર્ક રહેવાની સલાહ આપી છે. યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, ચીન, હોંગકોંગ સહિત દેશોમાં ફેલાયા બાદ કોરોનાના નવા વેરિયંટના ફેલાવાએ ભારતમાંયે નવેસરથી ઉચાટ ફેલાવ્યો છે. - ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 170 કેસ : અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં કોરોનાના કેસો તેજીથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 170 કેસો નોંધાયા છે. કોરોનાના કુલ કેસો 785 થયા છે, જેમાંથી હાલ 717 એક્ટિવ કેસ છે. 23 દર્દી હોસ્પિટલમાં, જ્યારે 694 દર્દીઓ હોમ આઇસોલેસન હેઠળ સારવાર લઈ રહ્યા છે, જ્યારે આજે કુલ 68 કોરોનાના દર્દી સ્વસ્થ થયા છે. આજે અમદાવાદ શહેરમાં નવા 88 કોરોનાના કેસો નોંધાયા છે. જો કે, આજે તેની સામે 34 કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કુલ કેસો 500 ઉપર પહોંચીને 559 થયા છે, જેમાંથી 183 દર્દી ડિસ્ચાર્જ થતાં હાલ 374 કોરોનાના સક્રિય કેસ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd