• શનિવાર, 07 જૂન, 2025

ખોટી વિગતોના આધારે વીમા વળતરનો કારસો રચનારા ચાર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 5 : ભચાઉ તાલુકાનાં જૂના કટારિયા પાસે થયેલા અકસ્માત પ્રકરણમાં ગેરકાયદેસર રીતે વીમા કંપની પાસે વળતર મેળવવાના કારસ્તાન અંગે ચાર આરોપી વિરુદ્ધ લાકડિયા પોલીસ મથકે વિધિવત રીતે ગુનો નોંધાયો હતો. આ અંગે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરનસ કંપનીના એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ રાજિવકુમાર રામએકબાલ મિશ્રાએ આરોપી શેનાજબેન ગફુરભાઈ ઘાંચી, ગફુરભાઈ સુમારભાઈ ઘાંચી, ગુલમામદ જાનમામદ રાઉમા, ફકીર મામદ ઓશમાણભાઈ રાઉમા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યું હતું કેવીમાનું વળતર મેળવવા માટે આરોપીએ  ગત તા. 28/02/2023 ના અજંતાથી જૂના કટારિયા માર્ગ ઉપર અકસ્માત થયો હતો, જેમાં આરોપી ગુલમામદ જાનમામદ રાઉમા  મોટરસાઈકલ નં. જીજે-12-ઈપી-8647 ચલાવી રહ્યા હતા ત્યારે પથ્થર આવી જવાથી  મોટરસાઈકલ સ્લીપ થવાથી પાછળ બેઠેલા ગફુરભાઈ ઘાંચીને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગફુરભાઈને થયેલા હોસ્પિટલ સારવાર ખર્ચ અને અન્ય નુકસાન માટે  ગાંધીધામની કોર્ટમાં વળતર મેળવવા  દાવા અરજી કરવામાં આવી હતી. તો બીજી બાજુ આ જ અકસ્માત મુદ્દે મોટરસાઈકલના માલિક એવા આરોપી  ફકીરમામદ રાઉમા દ્વારા વાહનમાં નુકસાનની ભરપાઈ કરવા માટે કલેઈમ ફોર્મમાં પોતે વાહન ચલાવીને કટારિયાથી સામખિયાળી તરફ જતા હતા તે દરમ્યાન પથ્થર આવી જતાં વાહન સ્લીપ થયાનું પોતે એકલા  હોવાની વિગત જણાવી હતી. એક અકસ્માતમાં વિરોધાભાસી વિગતો જાહેર  થતાં વિમા કંપની દ્વારા વિશેષ તપાસ કરવામાં આવી હતી, જેમાં આ પ્રકારનું  કારસ્તાન સપાટી ઉપર આવ્યું આવ્યુ હતું. વીમા કંપનીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd