• શનિવાર, 07 જૂન, 2025

સતાપર માર્ગ અકસ્માતમાં માતા-પુત્રનો જીવદિપ બુઝાયો

ગાંધીધામ,તા.5 : અંજાર થી સતાપર તરફ જતા માર્ગ ઉપર પુરપાટે આવતી  ગાડીએ  બે મોટર સાઈકલને હડફેટે લીધી હતા.જેમાં મોટર સાઈકલ  ઉપર સવાર શરદગર મહેશગર ગુંસાઈ(ઉ.વ.30) અને સાવીત્રીબેન મહેશગર ગુંસાઈ(ઉ.વ.58)ને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. સારવાર કારગત નીવડે તે પહેલા માતા-પુત્ર એ અંતિમ શ્વાસ લેતા  પરિવારમાં ગમગીની પ્રસરી હતી. આ અકસ્માતમાં બે બાળકો સહિત  ચાર જણને ઈજા પહોંચી હોવાના અહેવાલ સાંપડયા હતા.સતાપર માર્ગ ઉપર માધવ વિલા સોસાયટી પાસે  આજે સવારે 9.30 થી 10 વાગ્યાના અરસામાં  અકસ્માતનો આ બનાવ બન્યો હતો.પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે  હ્યુડાઈ  ક્રેટા નં.જીજે.12.ઈ.ઈ.8070 ના ચાલકે મોટર સાઈકલ જીજે.12.સી.એ.4808  તથા જીજે.12.ઈ.કે.5841 ને ઘડાકાભેર ટકકર મારી હતી.ટપ્પર  થી અંજાર  તરફ   મોટર સાઈકલ  ઉપર આવતા   માતા-પુત્ર  શરદગર અને સાવિત્રીબેનને  શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ વાહનમાં સવાર   સાક્ષીબેન મહેશગર ગુંસાઈ(ઉ.વ. 8 વર્ષ અંદાજીત) ને ઈજા પહોંચી હતી.ભુજની ખાનગી હોસ્પિટલમાં હાલની સારવાર ચાલી રહી છે.આ અકસ્માતમાં અન્ય મોટર સાઈકલ ઉપર આવતા હરીભાઈ ઠાકોર અને ઉર્વીસીબેન ઠાકોર અને તેમના સાત વર્ષીય બાળકને   પણ ઈજા પહોંચી હતી.પુરઝડપે  આવતા ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બે મોટર સાઈકલને ટકકર મારી  હતી.જેને કારણે ગાડીનો આગળનો ભાગ  બુકડો બોલી ગયો હતો. ટપ્પર ગામના એક  જ પરીવારના  બે સભ્યોના  મૃત્યુને લઈને   પરીવારમાં શોકની લાગણી પ્રસરી હતી. દરમ્યાન  અંજાર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ત્રંબકપુરી ગોસ્વામી,હબાય વાધેશ્વરી માતાજી મંદિરના મહંત લક્ષ્મણગીરી  તથા અંજાર દશનામ ગોસ્વામી સમાજના ઉપપ્રમુખ આશિષગીરી ગોસ્વામી અને અંજાર સુધરાઈના શાસકપક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી,ટ્રસ્ટી બળદેવપુરી ગોસ્વામીએ પરીવારજનોને સાંત્વના પાઠવી હતી. આ અકસ્માતના બનાવમાં પોલીસે  અકસ્માત નોંધના આધારે વિધીવત રીતે ફરીયાદ નોંધવા સહિતની દિશામાં તપાસ આરંભી છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ ડી.વી.ખાંભલા ચલાવી રહયા છે.         

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd