ભુજ, તા. 26 : કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના
પ્રારંભે કચ્છમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો અને રાજ્ય જિલ્લાના
ઉચ્ચ અધિકારીઓએ બાલવાટિકાથી લઈ માધ્યમિક શાળાના 31,403 વિદ્યાર્થીને પ્રવેશ અપાવ્યો
હતો. સમગ્ર રાજ્યની સાથે જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકોને આવકારી અધિકારી/પદાધિકારી દ્વારા
હોંશભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ અંગે વધુ વિગતો આપતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય
પરમારે જણાવ્યું હતું કે, આજે જિલ્લાની 50 ટકા શાળાઓમાં સાંસદ વિનોદભાઈ
ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા,
ધારાસભ્યો કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા,
અનિરુદ્ધભાઈ દવે, વીરેન્દ્રસિંહ જાડેજા,
માલતીબેન મહેશ્વરી અને પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ રાજ્ય-જિલ્લાના 161 ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારી જોડાયા
હતા.સાંસદ શ્રી ચાવડા માધાપર સરસ્વતી વિદ્યાલય, ધારાસભ્ય કેશુભાઈ ભુજ શહેર, ધારાસભ્ય ત્રિકમભાઈ અંજાર
શહેર, ધારાસભ્ય માલતીબેન ભચાઉના મોરગર, અનિરુદ્ધભાઈ મુંદરા તાલુકાના છસરા, ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ
લખપત તાલુકાના માતાના મઢ અને ધારાસભ્ય વીરેન્દ્રાસિંહે જાડેજાએ રાપર શહેરની વિકાસ વાડી
પ્રાથમિક શાળામાં પ્રારંભ કરાવી પ્રવેશોત્સવની ઉજવણીમાં જોડાયા હતા, જ્યારે રાજ્યના 14 જેટલા અધિકારીએ અબડાસા, લખપત સહિતના વિસ્તારોમાં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ
ખાવડા તથા જિલ્લા વિકાસ અધિકારી ગૌતમ ઉત્સવે રતડિયા ગામથી બાળકોને
શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આજના પ્રવેશોત્સવ દરમ્યાન આંગણવાડીમાં 3396, બાલવાટિકામાં 10,336, ધોરણ એકમાં 3221, ધોરણ નવમાં 10,667 અને 11મા ધોરણમાં 3595 બાળકને પ્રવેશ આપવામાં આવ્યો
હતો. આ તકે રોકડ વસ્તુ અને દાન સ્વરૂપે કુલ 18,86,449નું દાન મળ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પરમાર સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રાસિંહ
વાઘેલા અને સમગ્ર શિક્ષણ ટીમ સુપેરે કાર્યક્રમ પાર પાડવા જહેમત ઉઠાવી રહી છે. આ પ્રવેશોત્સવ
દરમ્યાન આખા વર્ષમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એન.એમ.એમ.એસ., શિષ્યવૃત્તિ પરીક્ષા, એન.ટી.એસ., જ્ઞાન સાધના જેવી વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ
મેળવનારા વિદ્યાર્થીઓ, વર્ષ દરમ્યાન શાળાઓને વિવિધ રીતે તિથિ
ભોજન જેવાં દાનથી ઉપયોગી થયેલા દાતાઓનું પણ સન્માન કરવામાં આવશે. પ્રવેશોત્સવના દિવસે
જ ધોરણ નવની કન્યાઓને `નમો લક્ષ્મી' યોજના તેમજ ધોરણ 11 (વિજ્ઞાન પ્રવાહ)માં કન્યા અને
કુમાર બન્નેને `નમો સરસ્વતી' યોજના અંતર્ગત લાભ આપવાની શરૂઆત કરવામાં આવશે.
શાળાઓમાં વિશિષ્ટ સિદ્ધિઓનું પ્રદર્શન યોજવામાં આવશે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાનાં
પ્રાંગણમાં ઔષધીય તેમજ ફળાઉ રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવશે. શનિવારે મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ બાળકોને પ્રોત્સાહન આપવા કુરન આવી રહ્યા છે, ત્યારે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઇ
પાનસેરિયાનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની સાથે અધિકારીઓ સંકલન કરી રહ્યા છે. - મુંદરા સી. કે. એમ. કન્યા : મુંદરાના સી. કે. એમ. કન્યા વિદ્યાલયમાં શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં
ગુજરાત રાજ્ય સરકારના સચિવ સંકેતાસિંહ વાઘેલા (જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સચિવાલય, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આર.
ડી. એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના હોદ્દેદારો દ્વારા આવકાર અપાયો હતો. આ પ્રસંગે નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન જોશી,
હોદ્દેદારો જીતુભાઈ માલમ, ભોજરાજ ગઢવી,
ધર્મેન્દ્રાસિંહ ઝાલા, દિલીપ ગોર, સંસ્થાના હોદ્દેદારો પ્રમુખ ડાહ્યાલાલ આહીર, કિશોરાસિંહ
પરમાર, પ્રકાશ પાટીદાર, હિરેન સાવલા,
પ્રકાશ ઠક્કર, ભરત જોશી, ભૂપેન્દ્ર મહેતા, મનોજ કોટક, લાલુભા
પરમાર, દમયંતીબેન પરમાર વિ. ઉપસ્થિત રહ્યા હતા.