• શુક્રવાર, 27 જૂન, 2025

ભારતે એસસીઓમાં પાક-ચીનની ચાલ નાકામ કરી

ક્વિંગડાઉ, તા. 26 (પીટીઆઈ) : પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને લઈને ભારતની ચિંતાઓની ઉપેક્ષા અને પહેલગામ હુમલાની બાદબાકીને અનુલક્ષીને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)નાં સંયુક્ત નિવેદન પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો. રાજનાથે એસસીઓના મંચ પર પાકિસ્તાનને ઉઘાડું પાડયું હતું અને ત્રાસવાદીઓ ઉપરાંત તેના પ્રાયોજકોને પણ જવાબદાર ઠરાવવાનો આગ્રહ કર્યો હતો. આમ, એસસીઓમાં પાકિસ્તાન અને ચીનની મિલીભગતનો રાજનાથે મજબૂત જવાબ આપ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે પહલગામનો કોઈ ઉલ્લેખ નથી પણ તેની જગ્યાએ ડોક્યુમેન્ટમાં બલૂચિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભારત ઉપર સાંકેતિક રીતે અશાંતિ પેદા કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બેઠક દરમિયાન રાજનાથસિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફ મૌન ધરીને બધું સાંભળતા રહ્યા હતા. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, એસસીઓનાં સંયુક્ત નિવેદનના મુસદ્દામાં પહેલગામ હુમલાનો પણ ઉલ્લેખ નહોતો તેમ આતંકવાદને લઈને ભારતની ચિંતાઓને પણ સ્થાન મળ્યું નહોતું, જેને લીધે રાજનાથે તેમાં સહી કરવાની ના પાડી દીધી હતી. સિંહના ઈન્કારને પગલે એસસીઓના સંરક્ષણમંત્રીઓની બેઠક સંયુક્ત નિવેદન વિના જ પૂર્ણ થઈ હતી. રાજનાથે પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર અંગે ભારતનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, આતંકવાદના અપરાધીઓને તેમજ પ્રાયોજકોને જવાબદાર ઠરાવવામાં આવે. તેના સામનામાં બેવડા માપદંડ ચાલશે નહીં.  તેમણે પાકના નામોલ્લેખ વિના કહ્યું હતું કે, અમુક દેશ આતંકવાદીઓને આશ્રય આપવાની સાથે તેમનો નીતિગત શત્રોની જેમ ઉપયોગ પણ કરે છે. આપણા પ્રદેશનો સૌથી મોટો પડકાર શાંતિ અને સુરક્ષાની કમી છે. આતંકવાદને પોષવું અને ખોટા લોકો પાસે અણુશત્રો હોવા બંને અયોગ્ય અને જોખમી છે. ત્રાસવાદના ખાતમા માટે નિર્ણાયક કાર્યવાહીની જરૂર છે. આપણે આપણી સામૂહિક સુરક્ષા માટે આ બદીઓ સામેની લડાઈમાં એકજૂથ થવું પડશે. આતંકવાદનો સામનો કરવામાં બેવડા માપદંડ ચાલશે નહીં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd