મુંદરા, તા. 26 : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ
અદાણીના જન્મદિન પ્રસંગે અદાણી ફાઉન્ડેશન તથા જનસેવા સંસ્થા (મુંદરા) દ્વારા સેવાકીય
પ્રવૃત્તિઓ યોજાઇ હતી, જે અંતર્ગત
મુંદરા શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં આવેલી ગરીબ વસાહતનાં બાળકોને ભોજન સાથે મીઠાઈઓ
પીરસવામાં આવી હતી તેમજ ઝૂપડાંમાં રહેતા જરૂરતમંદ લોકોને તાડપત્રીનું વિતરણ શરૂ કરાયું
હતું. ઉપરાંત જરૂરતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મુંદરાની જનસેવા સંસ્થાના રાજ સંઘવીએ
અદાણી ગ્રુપના પદાધિકારીઓનું સ્વાગત કર્યું હતું. અદાણી પોર્ટના એક્ઝિ. ડાયરેક્ટર રક્ષિત
શાહે જણાવ્યું હતું કે, માનવસેવા એ જ પ્રભુસેવા છે. કાર્યક્રમમાં
ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહ, અદાણી ગ્રુપ
મીડિયા વિભાગના જયદીપ શાહ, રમેશ આયડી, અદાણી
ગ્રુપ કોર્પોરેટ અફેર્સ વિભાગના મહેન્દ્ર સોલંકી, પુરુરાજાસિંહ
ઝાલા, વિજય ગુંસાઈ, અદાણી ફાઉન્ડેશનના કિશોર
ચાવડા તેમજ રાઘુભાઈ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. જનસેવા સંસ્થાના રાજ સંઘવી, ભગીરથાસિંહ ઝાલા, અસલમ માંજોઠી તેમજ ભીમજી જોગીએ જહેમત
ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપ દ્વારા જનસેવાનાં માધ્યમથી ઠંડીમાં ગરમ ધાબળા, ચોમાસામાં તાડપત્રી તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહયોગ મળતો રહ્યો છે.