ગાંધીધામ, તા. 18 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં 370 કિલોમીટર થી વધુ નું રોડ નેટવર્ક
છે.તે પૈકીના લગભગ 40 થી વધુ માર્ગો ખરાબ છે.ખાડાઓ છે. તો ઘણા વિસ્તારોમાં માર્ગોનું
અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે ત્યાં ચોમાસા દરમિયાન સ્થિતી વિકટ બને છે.લોકોને પસાર થવું
મુશ્કેલ થઈ જાય છે. બાળકોથી લઈને વડીલો અને વૃદ્ધોને આ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે
છે ખાસ કરીને જ્યારે આપાતકાલની સ્થિતિ સમયે હાલત કફોડી બનતી હોય ત્રસ્ત રહેવાસીઓ દ્વારા
મોરચા સ્વરૂપે રજૂઆત કરી હતી. ગુરુકુળ 10-એ વિસ્તારના અને આદિપુર ના
ફોર બી વિસ્તારના લોકો મહાનગરપાલિકા પહોંચ્યા હતા.લોકોએ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય
રામાનુજને મળીને ગુરુકુળ તેમજ આદિપુરમાં માર્ગોની સ્થિતિ ખરાબ હોવાની રાવ કરી હતી ખાસ કરીને ચોમાસા દરમિયાન અવરજવર પણ મુશ્કેલ બની
હોવાનું , માર્ગોનું
નવીનીકરણ કરાયું ન હોવાની સ્થિતિથી માર્ગોના અસ્તિત્વ ઉપર પણ સવાલ ઊભા થયા છે. મહાનગરપાલિકાને વેરાઓ ભરવા છતાં સુવિધાઓ મળતી ન
હોવાનો બળાપો વ્યક્ત કરાયો હતો. પાણી નિકાલની
પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી બાળકોને સ્કૂલે જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી
સમસ્યાઓનો અનેક વિસ્તારના લોકો સામનો કરી રહ્યા છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા
આ બાબતે યોગ્ય પગલા ભરીને માર્ગો નું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી
. પ્રત્યુતરમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરે આગામી
સમયમાં વ્યવસ્થાઓ ઉપર ધ્યાન અપાશે અને માર્ગો ઉપર પણ કામગીરી થઈ રહી હોવાનું જણાવ્યું
હતું.